ગૃહ વિભાગની માગણી પરની ચર્ચામાં ધારાસભ્ય શૈલેષ પરમારે મુદ્દો ઉઠાવ્યો હતો. કિરણ પટેલ કાશ્મીરમાં ફરતો રહે અને ગુજરાતમાં કોઈને ખબર ના પડે તે કેવી રીતે બને તેમ તેમણે મુદ્દો ઉઠાવતા કહ્યું હતું.
ગૃહ વિભાગની માંગણી પર બોલતા શાસક પક્ષને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. ગુજરાતમાં નકલી પીએસઆઈ પેપર ફૂટવા તેમજ દારુ કાંડ સહીતના મુદ્દાઓને લઈને શૈલેષ પરમારે સરકારને ઘેરવાનો શાબ્દિક પ્રહાર કર્યો હતો. તેમાં પણ કીરણ પટેલની ઘટના સમગ્ર દેશમાં ચર્ચાનો મુદ્દો બની છે ત્યારે આ મુદ્દો પણ તેમણે છેડ્યો હતો.
આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે, કિરણ પટેલ પીએમઓનો અધિકારી બનીને ફરે અને કોઈને જાણ પણ ના થાય તે કેવી રીતે શક્ય છે. ગૃહ વિભાગની માગણી પરની ચર્ચામાં ઘારાસભ્ય શૈલેષ પરમાણે આ મુદ્દો ઉઠાવ્યો હતો.
આ સાથે શૈલેષ પરમારે વધુ આકરા પ્રહારો કરતા કહ્યું કે, સરકારનું પ્લેન બે વર્ષ સુધી કોઈ ઉડાવતું રહે અને કોઈને તેની જાણ શુદ્ધા પણ ના થઈ. આ સાથે તેમણે એમ પણ શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, ગૃહ વિભાગનું એક એન્જિન બાતમીદારનું અને બીજું એન્જિન એટલે વહીવટદારનું, ઉલ્લેખનીય છે કે, તેમણે ડબલ એન્જિનની સરકારના મામલે કરવામાં આવતા નિવેદન સામે આ વાત કહી હતી.
ગૃહ વિભાગના બજેટની રકમ જેટલો દારુ રાજ્યમાં પકડાઈ રહ્યો છે
આ સાથે તેમણે ગૃહ વિભાગ સમક્ષ ચર્ચાની માગણી કરતા વધુમાં કહ્યું કે, કરાઈમાં નકલી પીએસઆઈ બનીને ઘુસી જાય છે અને કોઈને ખબર જ નથી પડતી. એમ કહી પીએસઆઈ નકલી કૌભાંડનો મુદ્દો પણ ફરી ઉઠાવ્યો હતો. આ સાથે કોંગ્રેસ દ્વારા અગાઉ રાજ્યમાં પકડાયેલા દારુના આંકડાઓ જારી કરવામાં આવ્યા હતા ત્યારે મામલે કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું કે, ગૃહ વિભાગના બજેટની રકમ જેટલો દારુ રાજ્યમાં પકડાઈ રહ્યો છે.
શૈલેષ પરમારે આ મામલે એમ પણ કહ્યું હતું કે, આઈબીએ કંઈ ના કર્યું આઈપીએસની પણ જાસુસી થાય છે. મહાઠગ પીએમઓના નામે ફરે છે. તેમ વિધાનસભા ગૃહમાં મુદ્દો ઉઠાવતા આ વાત કહી હતી.