યુરોપિયન સેન્ટર ફોર ડિસીસ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ (ECDC) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ડિસેમ્બરમાં ICUમાં ફ્લૂના કેસમાં વધારો નોંધવામાં આવ્યો હતો.વર્ષના છેલ્લાં સપ્તાહમાં ICUમાં ઓછામાં ઓછા 43 લોકો દાખલ હતા.ઈન્ફ્લૂએન્ઝા વિશે ECDCના ડિરેક્ટર પાસી પેન્ટિનને કહ્યું છે કે યુરોપમાં ઈન્ફ્લૂએન્ઝાએ ચિંતા વધારી દીધી છે. છેલ્લાં ઘણાં સમયથી તે યુરોપિયન દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે તેથી હવે તે જોખમી પણ બની ગયો છે.યુરોપમાં એક સાથે બે મહામારી આવતા લોકોની ચિંતા વધારો જોવા મળી રહ્યો છે. આ રીતે આવેલી બમણી મહામારીને ટ્વિન્ડેમિક કહેવામાં આવે છે.કોરોનાના અહીં વધતા કેસની સાથે ઈન્ફ્લૂએન્ઝા વાયરસ પણ એ જ ઝડપથી ફેલાતો દેખાઈ રહ્યો છે.આમ અહીં એક સાથે બે મહામારી ફેલાઈ હોવાથી હેલ્થ સિસ્ટમ ઉપર પ્રેશર વધી ગયું છે. દુનિયામાં દર વર્ષે 6,50,000 લોકોના મોત ફ્લૂ બીમારીથી થાય છે.
ફ્રાન્સ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ પેરિસ અને ફ્રાન્સ ફ્લૂ મહામારીનો સામનો કરી રહ્યા છે. અધિકારીના જણાવ્યા મુજબ ફ્રાન્સમાં 6.50 લાખ જેટલા મરઘાને મારી નાખવામાં આવ્યા છે. તેના કારણે ઈન્ફ્લૂએન્ઝામાં વધારો થઇ શકે છે. આ બધુ ત્યારે થઈ રહ્યું છે જ્યારે યુરોપ કોરોના વાયરસના ઘાતક ઓમિક્રોન વેરિયન્ટનો પણ સામનો કરતુ દેખાઈ રહ્યું છે. તાજેતરમાં જ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે આગામી બે મહિનામાં યુરોપમાં 50 ટકા કરતા વધુ વસતી કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટની ઝપટમાં આવી ગઈ છે.WHOના યુરોપીય કાર્યકાળના સ્થાનીક ડિરેક્ટર હાંસ ક્લૂઝે કહ્યું છે કે આ વિશે ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુશન (IHME)નો અંદાજ છે કે આગામી છથી આઠ સપ્તાહમાં 50 ટકા કરતા વધારે વસતી ઓમિક્રોનથી સંક્રમિત થશે.તે સમયે યુરોપિયન દેશોમાં હોસ્પિટલ, જરૂરી સેવાઓ અહીં ઓમિક્રોનના કેસમાં વધારો થતા સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કર્મચારીઓ વધુ સંક્રમિત થઈ રહ્યા છે.
ઈન્ફ્લૂએન્ઝા એવો વાયરસ છે જે શ્વસન તંત્રનો એક સંક્રમણ રોગ છે. ઈન્ફ્લૂએન્ઝા વાયરસની શરૂઆત ખાસી, શરદી અને સામાન્ય તાવથી થાય છે.શરીરમાં નાક આંખ અને મોઢાથી પ્રવેશી શકે છે. તે ઉપરાંત આ વાયરસથી પીડિત કોઈ વ્યક્તિના ખાસી ખાવાથી અથવા છીંક ખાવાથી તે અન્ય વ્યક્તિને સંક્રમિત કરી શકે છે. જો આ ફ્લૂને સામાન્ય ગણવામાં આવે તો તે ગંભીર બીમારી બની શકે છે. ઈન્ફ્લૂએન્ઝા વાયરસથી નુઅમોનિયા કાનમાં સણકા મારવા અને સાઈનસ થવાનું જોખમ પણ વધી જાય છે.