Amit Shah in Bengal: અમિત શાહે આજે (23 એપ્રિલ) બંગાળના માલદા દક્ષિણમાં રોડ શો કર્યો હતો. રોડ શો દરમિયાન અમિત શાહે મમતા સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં ભાજપ 30થી વધુ બેઠકો જીતશે. અમિત શાહે વધુમાં કહ્યું કે બંગાળમાંથી તૃણમૂલ જેવા ભ્રષ્ટ લોકોને હટાવવા પડશે. જનતાએ મોદીની ગેરંટી પર વિશ્વાસ કરવો પડશે અને તૃણમૂલની હાર સુનિશ્ચિત કરવી પડશે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે (23 એપ્રિલ) બંગાળના દક્ષિણ માલદામાં રોડ શો યોજ્યો હતો.
રોડ શો દરમિયાન અમિત શાહે મમતા સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. સાથે જ તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં ભાજપ 30થી વધુ સીટો જીતશે.તેમણે કહ્યું કે મમતા બેનર્જી CAAનો વિરોધ કરી રહી છે અને શરણાર્થીઓને નાગરિકતા મેળવવાની મંજૂરી નથી આપી રહી. ટીએમસીના શાસનમાં લોકો પશ્ચિમ બંગાળમાં સતત ઘૂસણખોરી કરી રહ્યા છે.
મોદીની ગેરંટી પર વિશ્વાસ રાખવો પડશેઃ અમિત શાહ
આ સાથે જ અમિત શાહે વધુમાં કહ્યું કે, “તૃણમૂલ જેવા ભ્રષ્ટ લોકોને બંગાળમાંથી દૂર કરવા પડશે. જનતાએ મોદીની ગેરંટી પર વિશ્વાસ કરવો પડશે અને તૃણમૂલની હાર સુનિશ્ચિત કરવી પડશે.”