સામાન્ય રીતે એવુ માનવામાં આવે છે કે ઓછી ઊંઘ લેવાથી શરીરને નુકસાન થતુ હોય છે. જો કે તાજેતરમાં કરવામાં આવેલ સંશોધનમાં જાણવા મળ્યુ છે કે નિયમિત નવ કલાક કરતા વધુ સમયની ઊંઘ પણ શરીર માટે નુક્સાન કર્તા છે. તેનાથી માત્ર શારીરિક સમસ્યાઓ વધવાની સાથે સાથે આયુષ્યમાં પણ ઘટાડો થઈ શકે છે. ઓસ્ટ્રેલીયની સિડની યુનિવર્સિટીનાં અધ્યાપકોએ કરેલ સર્વેમાં સામે આવ્યુ છે કે જો કોઈ વ્યક્તિ રાત્રે નવ કલાક કરતા વધારે ઊંઘ લે છે તો દિવસમાં તે સ્ફુર્તી સાથે કામ નથી કરી શકતો. આવા વ્યક્તિઓનું આયુષ્ય ઘટવાની શક્યતા પણ ચાર ઘણી વધી જતી હોય છે. આ ઉપરાત સર્વેમાં જોવા મળ્યુ છે કે બેઠાડું જીવન શૈલી અને શારીરિક શ્રમનો અભાવ પણ શરીર માટે ઘાતક સાબિત થઈ શકે છે. સંશોધન કર્તા મેલોડીં ડિંગનાં જણાવ્યા મુજબ આ સંશોધનનો ઉદેશ્ય એ ચકાસવાનો હતો કે વધારે પડતી ઊંઘની શરીર પર શું અસર થાય છે. જેમાં જાણવા મળ્યુ છે કે વધારે પડતી ઊંઘ અને નિયમિત વ્યામનાં અભાવથી શરીરને ડબલ મારનો સામનો કરવો પડે છે. ડિંગે વધુમાં જણાવ્યુ હતુ કે આપણે પોતાની રોજિંદી આદતો અંગે આપણે એટલી જ તકેદારી રાખવી જોઈએ. જેટલી તકેદારી આપણે ધુમ્રપાન, દારૃ, ફાસ્ટફુડ વગેરે બાબતો પ્રત્યે રાખીએ છીએ. પ્રોફેશર ડીંગે વધુમાં જણાવ્યુ હતુ કે શરીરને વધારે પડતી ઊંઘથી એટલુ જ નુકસાન થાય છે જેટલુ નુકસાન ધ્રુમપાન અથવા દારુનાં સેવનથી થાય છે.
આ સંશોધનમાં વધુ એક બાબત એ સામે આવી કે ધ્રુમપાન અને દારુનુ સેવન કરતા લોકો જો દિવસમાં ૭ કલાકથી ઓછી ઉંઘ લેતા હોય તો તેમનાં અકાળ મોતની શક્યતા ચાર ઘણી વધી જતી હોય છે.