ગુસ્સો વ્યક્તિની એક એવી પ્રકૃતિ છે જે પરિસ્થિતી પ્રમાણે મગજમાં ઉત્પન્ન થાય છે. ગુસ્સો બીજા માટે સારો હોય કે ના હોય પણ ખુદ માટે ખતરનાક છે. આ આપણા શરીરનો સૌથી મોટો દુશ્મન છે. જો તમને નાની નાની વાતો ઉપર ગુસ્સો આવતો હોય તો આ ખૂબ ગંભીર વાત છે.
તમે ગુસ્સા ઉપર ત્યારે કંટ્રોલ કરી શકો જ્યારે તમે તેને ઓળખી શકો કોઇ વસ્તુ પ્રાપ્ત કરવાની ઇચ્છા ખૂબ વધુ હોય એવા લોકોને ખૂબ ગુસ્સો આવે છે તે લોકો પોતાનું ધૈર્ય જલ્દી ખોઇ બેસે છે. જલ્દી ખાવુ, બેચેની, કામ-કાજમાં ચીડયા પણુઆ એક ગુસ્સાના ભાગ છે.
કેમ ગુસ્સાને કંટ્રોલ કરવોઃ-
– ગુસ્સો આવે ત્યારે ચુપ રહો, જેનાથી વ્યક્તિ પોતાના ગુસ્સાથી બચી શકે છે
– યોગ અને ધ્યાન કરવાથી ગુસ્સા ઉપર હંમેશા કંટ્રોલ કરી શકાય છે
-જ્યાં પણ ગુસ્સા જેવી પરસ્થિતી સર્જાય ત્યાંથી તરત હટી જવું
– ગુસ્સા ઉપર કાબુ મેળવવા કાન અને આંખ ઉપર કાબુ મેળવવો
– એેવી કોઇ વસ્તુ યાદના કરવી જેનાથી તમને ગુસ્સો યાદ આવે
બીમારીઓઃ-
વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે ગુસ્સો કરવાથી બ્લડપ્રેશર, આંખલાલ, હાર્ટમાં બળતરા, તણાવ વધવો, પાચન તંત્ર કમજોર, એસીડીટી, કબજીયાત, ભૂખના લાગવી, ઉંધના આવવી ગુસ્સો કરવાથી સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર થઇ શકે છે.