ભારતના ઘણા મંદિરો માન્યતા અને સુંદરતા માટે જાણીતા છે આજે અમે તમને ભારતના કેટલાક એવા જ જાણીતા તીર્થસ્થાનો વિશે વાત કરી રહ્યા છીએ. ભારતના આ પ્રખ્યાત સ્થળો પર તમે વાસ્તુકળાના અદ્ભૂત નમુનાઓ જોઈ શકશો. અહીં તમે ઘુમ્મટ સાથે સાથે સુંદર પ્રકૃત્તિની મજા પણ લઈ શકો છો. શાંતી અને સકુન ભરેલા આ તીર્થસ્થળોમાં તમે તમારી રજાઓમાં ફરવાની મજા માણી શકશો.
1. કેરળમાં અાવેલ સબરીમાલા વિશ્વનું સૌથી મોટું તીર્થસ્થળ માનવામાં અાવે છે. અહિેયા ખુબજ પ્રાચીન મંદિર અાવેલ છે. પરંતુ અા મંદિરમાં 10થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશ પર નિષેધ છે.
2. તિરૂમલા વેંકટેશ્વર મંદિર સમુદ્રથી 3200 ફૂટની ઉંચાઈ પર પહાડોમાં પ્રકૃત્તિની ગોદમાં અાવેલું છે. તિરૂમલા વેંકટેશ્વર મંદિર ભારતનું સૌથી પ્રસિદ્ધ તીર્થસ્થળ છે.ભગવાન વિષ્ણુને સમર્પિત અા મંદિરમાં મોટા પ્રમાણમાં પર્યટકો અાવે છે.
3. તમિલનાડુમાં અાવેલ મદુરાઈ મીનાક્ષી મંદિર, તમિલનાડુમાં અાવેલઅા ઐતિહાસિક મંદિરમાં વાસ્તુ કળાને જોઈને તમે દંગ રહી જશો.અેક માન્યતા પ્રમાણે મા પાર્વતીએ શિવ સાથે વિવાહ કરી અહીં વર્ષો સુધી શાસન કર્યું હતું.
4. જમ્મૂ-કાશ્મીરમાં અાવેલ વૈષ્ણોદેવી મંદિર તેના કુદરતી સૌંદર્ય, પહાડો અને ગુફાઓના કારણે અા મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ રહે છે. અા મંદિરમાં ત્રણ પીંડને જોવા દૂરદૂરથી લોકો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે અાવે છે.
5. મુંબઈનું સિદ્ધિવિનાયક મહારાષ્ટ્રની રાજધાનીમાં અાવેલું સૌથી વધુ દાન મેળવનાર મંદિર છે. અા મંદિરનું અનોખું મહત્વ રહ્યું છે, અહિયા દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે.
6. અજમેર, મોઇનુદ્દીન ચિશ્તી અા મસ્જિદમાં ફક્ત મુસ્લિમ જ નહીં હિન્દુઓ અને શિખો પણ અાવે છે. અામ ત્રણ ધર્મના લોકોનો ત્રિવેણી સંગમ અહીં જોવા મળે છે.
7. અમૃતસરનું હરમંદિર સાહિબ હર વર્ષે અહી સૌથી વધુ પર્યટકોની સંખ્યાને લઈને વિશ્વ રેકોર્ડ રચ્યો છે. શિખોના અા પવિત્ર સ્થળ પર તમે ખુબસુરત તળાવ પણ જોઈ શકશો.