ઘરના આંગણામાં લગાવેલા નાના નાના છોડ ખૂબ સરસ લાગે છે. દરેક વ્યક્તિ પોતાના ઘરમાં મની પ્લાન્ટ જરૂર લગાવે છે.તે સજાવટની સાથે સાથે ઘરમાં લક્ષ્મી અને શાંતી અાપે છે.કહેવાય છે કે મનીપ્લાન્ટ લગાવવાથી ઘરના આસપાસના પર્યાવરણને ચોખ્ખું રાખે છે, સાથે સાથે વાસ્તુ દોષ પણ દૂર કરે છે.જેમ કે તેના નામથી જ સ્પષ્ટ થાય છે કે મની પ્લાન્ટનો અર્થ છે કે ઘરની આર્થિક સ્થિતિ મજબૂત થવી.
મનીપ્લાન્ટ છોડનો યોગ્ય રીતે લાભ લેવા માટે જરૂરી છે કે તે યોગ્ય દિશામાં મૂકાયેલ હોય. લોકો તેને ઘરમાં લાવીતો દે છે પરંતુ યોગ્ય માહિતી ન હોવાને કારણે તેનો સંપૂર્ણ લાભ મળતો નથી.
આંગણામાં ક્યારેય પણ ઉત્તર દિશામા મની પ્લાન્ટ ન લગાવો નહી તો પડશે મુશ્કેલી.વાસ્તુશાસ્ત્રમાં આ દિશાને નેગેટિવ માનવામાં આવે છે. આ દિશામાં મની પ્લાન્ટ રાખવાથી પતિ-પત્ની વચ્ચે તણાવ રહે છે. ઉત્તર દિશાને નકારાત્મક ઉર્જાની દિશા માનવામાં આવે છે.
ઘરની બહાર નહી ઘરની અંદર જ રાખો મની પ્લાન્ટ-મની પ્લાન્ટ લગાવવો શુભ માનવામાં આવે છે પરંતુ તે ઘરની બહાર નહી પણ ઘરની અંદર રાકવાથી જ તેનો ફાટદો થાય છે, બહાર રાખવાથી તેની અસર નથી થતી.
ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં મની પ્લાન્ટ રાખવાથી સુખ-સમૃદ્ધી વધે છે. તે બાબતનો ખાસ ખ્યાલ રાખો કે અહીં સૂર્ય પ્રકાશ વધારે ન હોય. મની વેલને ક્યારેય જમીન પર ફેલાવા ન દો તેને હંમેશા ઉપર તરફ ચઢાવો જેનાથી થશે તમારી પ્રગતી.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.