લાંબી ઉમર અને સ્વસ્થ રહેવા ઇચ્છતા હોતો ખાવાપીવા પર ખાસ ધ્યાન રાખવું ખૂબ જ અગત્યનું છે. ફક્ત શારિરીક સ્વાસ્થ્ય જ નહી પણ ખુબસુરતી મેળવવા હેલ્દી ભોજન ખુબજ જરૂરી છે તેથી જે પણ ખાવું તે ઉમદા અને પોષ્ટિક પદાર્થોથી ભરપૂર જ ખાઓ. સ્વાસ્થ્ય અને એનર્જી માટે સુકા મેવો એટલે કે ડ્રાય ફ્રુટ્સ ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેમાં પ્રોટીન, ફાઈબર, ન્યુટ્રીશિયન, કેલ્શિયમ અને એન્ટિ ઓક્સિડેન્ટસ જેવા વિટામિન્સ ઇ અને સેલેનિયમ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં મળે છે.
ઠંડીમાં સુકોમેવો ખાવાથી ખુબજ ફાયદો થાય છે, કેમકે અેનર્જીની સાથે સાથે શરીરને ગરમી પણ મળે છે જેનાથી ઠંડીથી બચી શકાય છે.ફિટ અને તંદુરસ્ત રહેવા માટે બદામ, કિશમિશ, પિસ્તા, કાજૂ,અખરોટ અને અંજીર ખૂબજ ફાયદાકારક છે.દરેક મેવો પોતાનું અાગવું મહત્વ ધરાવે છે.અા સુકોમેવો તમે દુધ સાથે પણ લઈ શકો છો.અા સિવાય તમે તેને ડેઝર્ટ તરીકે પણ ખાઈ શકશો.
1. બદામ છે ઓલરાઉન્ડર
બદામને સુકામેવાનો રાજા કહેવામાં અાવે છે, કેમકે બદામમાં પ્રોટીન, ફાઈબરની સાથે સાથે કેલ્શિયમ, અેન્ટીઓક્સિડેંટ, વિટામિન ઈ ફેટી અેસિડનું પ્રમાણ વધારે હોય છે. અા સિવાય દાંત અને હાડકાઓને મજબૂત કરે છે, કોલેસ્ટ્રોલ ઘટાડે છે,હિમોગ્લોબીન વધારે છે,ચમકતી ત્વચા અને તેજ દીમાગ થાય છે. તેમજ બ્રેસ્ટ કેન્સરથી બચી શકાય છે.
2. અાંખો માટે શ્રેષ્ઠ છે કિશમિશ
દ્રાક્ષને એક ખાસ પ્રક્રિયા કરી સુકવી કિશમિશ બનાવાય છે.કિશમિશમાં દ્રાક્ષના તમામ ગુણો સમાયેલા હોય છે. કિશમિશને તમે દુધ, ખીરમાં કે મિઠાઈમાં નાખી ખાઈ શકો છો..કિશમિશમાં વિટામિન અે, પોટેશિયમ, મેગ્નેશિયમ,ફાસફોરસ, અાયરન અને કેલ્શિયમનો વિપુલ પ્રમાણમાં સ્ત્રોત હોય છે. કિશમિશથી અાંખોની રોશની વધે છે, કબજીયાત મટે છે,દીંતની બીમારીથી બચી શકાય છે, શારિરીક કમજોરી દૂર કરે છે, વજન વધારવામાં ફાયદો કરે છે.
3 કાજૂમાં છે જાદૂ.
ડ્રાય ફ્રુટ્સમાં કાજૂ ખુબજ ટેસ્ટી હોય છે, કાજૂમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, કોપર, ઝિંક, અને ભરપૂર માત્રામાં મિનરલ્સ હોય છે, જે અેન્ટી અેઈજીંગનું કામ કરે છે. હૃદયની બીમારી દૂર કરે છે, ત્વચામાં નિખાર લાવે છે, દિમાગને તેજ કરે છે.
4. ડાયાબીટિસથી બચાવે પિસ્તા
પિસ્તામાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે ખાવામાં તે ખૂબજ ટેસ્ટી હોય છે.અાંખોની રોશની વધે છે, હૃદયની બીમારી દૂર કરે છે, ડાયાબીટિસથી બચાવે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે, કેંસર જેવા અસાધ્ય રોગ સામે રક્ષણ અાપે છે.
5.વજનને કંટ્રોલ કરે છે અખરોટ
અખરોટમાં ઓમેગા 3 ફેટી અેસિડ ધરાવે છે રોજ અેક અખરોટ ખાવાથી ઘણી મુશ્કેલીઓ સામે લડી શકાય છે.અખરોટ વજનને કંટ્રોલમાં રાખે છે.બ્રેસ્ટ કેન્સરથી બચી શકાય છે, કોલેસ્ટ્રોલ ઘટાડે છે,હિમોગ્લોબીન વધારે છે, યાદશક્તિ તેજ કરે છે, વાળ અને સ્કીન માટે શ્રેષ્ઠ છે.
6.અંજીરના છે ખાસ ફાયદા
અંજીરમાં સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, અાયરન ભરપૂર માત્રામા હોય છે,કબજીયાતના રોગી માટે તે વરદાન સમાન છે. રાત્રીના અડધા કપ પાણીમા અંજીરને પલાળી ખાવાથી પેટની તમામ તકલીફોથી બચી શકાય છે.