અજમાના ફાયદાઓઃ-
અજમાથી પાચનશક્તિ મજબૂત થાય છે અજમાથી ઉલટીમાં રાહત મળે છે. અજમો ગર્ભાવસ્થામાં ગુણકારી છે. અજમાનું તેલ કાનની પીડામાં રાહત આપે છે અજમા ખરજવામાં પણ લાભપ્રદ છે. અજમાનું પાણી પીવાથી સંધિવામાં રાહત મળે છે. અજમાનું પાણી ઉધરસમાં રાહત આપે છે અજમાના ઉપયોગથી ખીલની સમસ્યા પણ દૂર થાય છે.
– અજમાથી શરદી-ઉધરથી લઇને લીવરની સમસ્યાઓ પણ દૂર થાય છે. આપણે આપણા રસોડામાં ઘણા બધા વ્યંજનો માં અજમાનો ઉપયોગ કરીએ છીએ તે ખૂબ જ લાભપ્રદ હોવાથી આપણે ઇચ્છવા છતાં તેને અવગણી શક્યતા નથી. કેટલાક ઘરોમાં તો અજમાનો ખાટો મીઠાવાળો મુખવાસ પણ બનાવી રાખવામાં આવે છે. જેને હંમેશા જમ્યા બાદ લેવામાં આવે છે. તેનાથી પાચનતંત્ર સારૂ રહે છે.
જો તમે મેદસ્વિતાથી પરેશાન થઇ ગયા છો તો તેવામાં અજમાનું સેવન કરો તેનાથી મેદસ્વીતામાં ઘટાડો થાય છે. અજમાને મધ સાથે નિયમિત લેવાથી પથરીની સમસ્યા પણ દૂર થાય છે. હળદરની જેમ જ અજમા પણ ડાયાબીટીસના દર્દીઓ માટે ખૂબ જ લાભપ્રદ છે.