નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી) એ અમરનાથ યાત્રા પર એક વાર ફરી નિર્દેશ અાપ્યો છે. NGTએ અમરનાથ શ્રાઇન બોર્ડને નિર્દેશ આપ્યાો છે કે પ્રવાસ દરમિયાન છેલ્લી તપાસ પોસ્ટ પછીથી મોબાઇલ ફોન લેવાપર પ્રતિબંધિત કરવામાં આવશે. જસ્ટિસ સ્વતંત્ર કુમારની અધ્યક્ષતામાં ટ્રિબ્યુનલની બેન્ચ દ્વારા અમરનાથ શ્રાઇન બોર્ડને નિર્દેશ આપીને કહ્યું હતું કે આ બાબત ધ્યાનમાં રાખવામાં અાવે કે અમરનાથમાં મંત્ર અને જયઘોષ ન લગાવો. તેનાથી ધ્વની પ્રદુષણ વધી રહ્યું છે.
મુસાફરોને છેલ્લી ચેક પોસ્ટ પછીથી ગુફા સુધી મોબાઇલ અથવા અન્ય વસ્તુઓને લઇ જવાની પરવાનગી નથી. ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે, શ્રાઇન બોર્ડે આ વ્યવસ્થાને વ્યવસ્થિત રાખવી જોઈએ. ઉલ્લેખનીય છે કે અગાઉ નવેમ્બરમાં એનજીટીએ શ્રાઇન બોર્ડને મુસાફરી દરમિયાન પૂરો પાડવા માટે શ્રદ્ધાળુઓને આપવામાં અાવતી સુવિધા વધારવા, ગુફાની આસપાસ સ્વચ્છતા રાખવા અંગે જણાવ્યું હતુ અને ગંગા સુધી જવાના માર્ગે થતી ગંદકી મુદે ફટકાર લગાવી હતી. NGTએ ગુફાની નજીક આવેલા સમગ્ર વિસ્તારને સાઈલન્સ ઝોન જાહેર કરવા સૂચનો આપ્યા હતા.