શક્તિપીઠ બહુચરાજી મંદિર જે ભક્તો માટે આસ્થા નું પ્રતીક રહ્યું છે અહીં આવતા શ્રદ્ધાળુઓ પોતાની અનેક મનોકામના માટે માં બહુચર ને આજીજી કરી બધા રાખતા હોય છે. ત્યારે બહુચરાજી મંદિર હસ્તક ની વલ્લભ ભટ્ટ ની વાવ મંદિર પણ આસ્થા નું સ્થાન બન્યું છે। આશ્ચર્ય ની બાબત એ છે કે અહીં આવતા શ્રદ્ધાળુ ઓ ને બાધા પ્રશાદ રૂપે અપાય છે વાવ ની પવિત્ર માટી। આ મંદિર પાસે આવેલી છે એક વાવ જે વાવ 350 વર્ષ પુરાણી માનવ માં આવે છે.
બહુચર માતાજી ના પરમ ભક્ત વલ્લભ ભટ્ટ ને આ જગ્યા એ માંતાજી એ પરચો પૂર્યો હોવા ની છે માન્યતા।
વલ્લભ ભટ્ટ દ્વારા જે પથ્થર હટાવવા થી જે પાણી ની ધારા ફૂટી હતી ત્યાં સમયાંતરે વાવ નું નિર્માણ થયું હતું।
આ વાવ ની માટી શ્રદ્ધાળુ ઓ પુત્ર પ્રાપ્તિ , મકાન તેમજ ધંધા ની પ્રગતિ માટે અહીં બાધા રાખતા જોવા મળે છે। અહીં થી આપવા માં આવતી વાવ ની માટી પોતાના ઘેર મંદિર માં મૂકી સેવા પૂજા કરવા માં આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ થતા માટી પરત મુકવા આવવા ની પ્રથા જોવા મળે છે. ભક્તો પાસે આ વિષે પૂછતાં અનેક લોકો એ આ માટી થી માતાજી એ અનેક કામ કર્યા હોવાનું જણાવી રહ્યા છે।