સામાન્ય રીતે આશોપાલવ એટલે કે અશોક વૃક્ષને દરેક સ્થળોએ સુંદરતાના હેતુએ લગાવામાં આવે છે. જ્યાં આશોપાલવ વૃક્ષ હોય છે ત્યાં અન્ય કોઈ શોક રહેતો નથી. આવો જાણીએ અશોક વૃક્ષથી કઈ કઈ મુશ્કેલીઓનું નિવારણ થાય છે. આ વૃક્ષ જેના પણ દરવાજે લગાવામાં આવે છે તેના ઘરમાં ક્યારેય ધન-ધાન્ય ખૂટતું નથી. જેને કારણે દરેક ઘરમાં તેને સળંગ લાઈનમાં લગાવામાં આવે છે. આ વૃક્ષ નીચે બેસી સાધના કરવાથી તમારી સાધના જલ્દી સફળ થાય છે. પતિ-પત્નીમાં અનબન રહેતી હોય તો અશોપાલવ વૃક્ષના 7 પાન મંદિરમાં રાખી પૂજા કરો. પાન સુકાઈ જાય તો જૂના પાનની જગ્યાએ નવા પાન મૂકી દો. જૂના પાન પીપળાના ઝાડ નીચે નાખી દો. 40 દિવસ સુધી સતત આમ કરવાથી પતિ-પત્નીના સંબંધોમાં પ્રેમ વધે છે. આશોપાલવ વૃક્ષને શોક નાશક કહેવાય છે. તેને ઘરમાં લગાવાથી અથવા તેના મૂળ ધારણ કરવાથી વ્યકિતનું અકાળે મૃત્યુ થતુ નથી.આશોપાલવ વૃક્ષના ફૂલને પીસીને મધ સાથે ખાવાથી ઘરમાં દરિદ્રતા એટલે કે ગરીબી રહેતી નથી. સાથે જ દેવીની પૂજા કરી લક્ષ્મી મંત્ર કે સ્ત્રોતનો જાપ કરવાથી લક્ષ્મીની કૃપા જળવાયેલી રહે છે.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.