હિન્દુ શાસ્ત્રો અને જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે વર્ષેદહાડે સર્જાતા ગ્રહ, નક્ષત્ર અને તિથિના શુભ સંયોગમાં લગ્ન, હવન, યજ્ઞ, ઉજવણી સહિતના શુભ કાર્યો ચોક્કસ સંયોગોમાંજ પાર પાડવામાં આવે છે. જયારે કેટલાક સંયોગો શુભ કાર્યો માટે વર્જીત ગણવામાં આવે છે. આવા જ એક અશુભ સંયોગનો મહિનો ગણાતા કમુરતા હાલ 16 ડિસેમ્બર શરૂ થયો. તે દરમિયાન લગ્ન સહિતના શુભ કાર્યો પર એક મહિનો રોક લાગી જશે. સૂર્ય શનિવારે વહેલી સવારે 3 કલાકે વૃશ્ચિકમાંથી ધન રાશિમાં પ્રવેશ કરવાની સાથે જ કમુરતા શરુ થશે. જો કે, પિતા-પુત્ર હોવા છતાં કટ્ટર શત્રુ ગણાતા સૂર્ય અને શનિ એક જ રાશિમાં એક માસ સુધી રહેવાના હોય. સારા-નરસા પરિણામો લાગી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે, સૂર્ય 16 ડિસેમ્બર એટલે આજથી સૂર્ય વહેલી સવારે 3 કલાકે વૃશ્ચિક રાશિ માંથી ધન રાશિમાં આવશે.
કમુરતાના મહિનામાં શુભ, મંગળ કાર્યો કરવાનો નિષધ ગણાય છે. જેને પગલે લગ્ન, ઉદ્ધઘાટન, નવી ખરીદી સહિતના શુભ કાર્યો કરવામાં આવશે નહિ. આ સમયમાં ધાર્મિક આયોજનો, યજ્ઞ, હવન, તપ, જપ, પૂજા, આરાધના, આદિ કરવાનો વિશેષ મહિમા છે. આ સમયમાં કરેલી પૂજા, સાધના ઝડપથી સિદ્ધ થાય છે. અને સફળતા મળે છે.