મહાત્મા બુદ્ધના જીવન સાથે સંકળાયેલા આવા ઘણા પ્રસંગો છે, જેમાં સુખી જીવનના રહસ્યો છુપાયેલા છે. અહીં એક લોકપ્રિય ઘટના છે જેમાં એક સ્ત્રીએ તેમને સંન્યાસ લેવાનું રહસ્ય પૂછ્યું હતું. એક વખત મહાત્મા બુદ્ધ એક ગામમાં ગયા ત્યાં એક સ્ત્રીએ તેમને પૂછ્યું કે તમે રાજકુમાર જેવા દેખાવ છો, તમે યુવાનીમાં સંન્યાસ કેમ સ્વીકાર્યો?
બુદ્ધે જવાબ આપ્યો કે મેં ત્રણ પ્રશ્નોના ઉકેલો શોધવા માટે સંન્યાસ લીધો છે. 1. શરીર યુવાન અને આકર્ષક છે, પણ તે વૃદ્ધ થશે, પછી તે બીમાર થશે અને અંતે તે મૃત્યુ પામશે. મને વૃદ્ધાવસ્થા, રોગ અને મૃત્યુનું કારણ જાણવું છે. આ સાંભળી તે સ્ત્રી બુદ્ધથી ખૂબ જ પ્રભાવિત થઈ અને તેણે તેમને ભોજન માટે આમંત્રણ આપ્યું હતું. ગામના લોકોને ખબર મળતાં જ બધાએ બુદ્ધને કહ્યું કે તે સ્ત્રીને ત્યાં જમવા ન જવું જોઈએ, કારણ કે તે સ્ત્રી ચારિત્ર્યહિન છે. બુદ્ધે ગામના સરપંચને પૂછ્યું કે આ વાત સાચી છે? સરપંચ પણ ગામના લોકોની વાતમાં સંમત થયા પછી બુદ્ધે સરપંચનો એક હાથ પકડ્યો અને કહ્યું કે, હવે તમે તાળી વગાડીને બતાવો. સરપંચે કહ્યું કે, તે અશક્ય છે, એક હાથથી તાળી નથી વગાડી શકાતી.