કોરોનાની મહામારીમાં બંધ થઇ ગયેલા ગુજરાતના વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામો અને શક્તિપીઠના દ્વાર ભાવિકો માટે મહિનાઓ પછી ખૂલવા જઇ રહ્યાં છે. આગામી ૧૫ જૂનથી ભાવિકો બેચરાજી માતાજીના દર્શન કરી શકશે.સુપ્રસિધ્ધ યાત્રાધામ બેચરાજીમાં દરરોજ હજારો ભાવિક ભક્તો માતાજીની પૂજા અર્ચના કરે છે.પરંતુ કોરોનાની મહામારીને પગલે આપેલ લોકડાઉનના પગલે નીજ મંદિર દ્વારા બંધ કરવામાં આવ્યા હતા.
જિલ્લામાં ભક્તોની આસ્થા અને ભક્તિને ધ્યાને લઇને ૧૫ મી જુન સોમવારથી બેચરાજી માતાજીના મંદિરના દ્વારા ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવનાર છે. જેમાં સરકાર દ્વારા સુચવેલ કોવિડ-૧૯ની માર્ગદર્શિકાના પાલન સાથે ભક્તો માતાજીના દર્શન કરી શકશે. બેચરાજીમાં માતાજીના મંદિરના પ્રાંગણમાં સોશ્યલ મિડીયા,માસ્ક અને સેનીટાઇઝેશનું સંપુર્ણ પણે પાલન કરવાનું રહશે.
બેચરાજી માતાજીના મંદિર ખાતે કોવિડ-૧૯માં સુચવેલ માર્ગદર્શિકાનું સંપુર્ણપણે પાલન સાથે નીજ મંદિરના દ્વારા ખુલનાર છે જોકે પ્રવર્તમાન પરિસ્થિતને ધ્યાને રાખીને મંદિરની આરતીમાં વધુ ભીડ ન થાય તે માટે હાલ પુરતું આરતી દરમિયાન ભાવિકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. બેચરાજી માતાજીના મંદિરમાં મંદિર દર્શન ખુલ્લુ મુકાયા બાદ મંદિરની અંદર સોશ્યલ ડિસ્ટન્સનનું સંપુર્ણ પણે પાલન કરવાનું રહેશે, દરેક ભાવિક ભક્તોએ સોશ્યલ ડિસ્ટન્સમાટે માર્કિંગ કરેલી જગ્યામાં ઉભું રહેવું પડશે અને ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે,બેચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા મંદિરની સ્વચ્છતા પર વિશેષ ઘ્યાન અપાઇ રહ્યું છે અને આગામી ૧૫ મી જુનથી શરૂ થયેલ દર્શન પ્રક્રિયામાં ભાવિક ભક્તોએ ફરજીયાત પણે સોશ્યલ ડિસન્ટન્સ,માસ્ક અને સેનીટાઇઝેશનું સંપુર્ણ પાલન કરવા અનુંરોધ કર્યો છે.