મુંબઈમાં શનિવારે સવારે એક મોટી ભીષણ આગ લાગી હતી અહીંના તારદેવ વિસ્તારમાં ભાટિયા હોસ્પિટલ પાસે એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. જાણવા મળી રહ્યું છે કેઆ આગ 20 માળની કમલા બિલ્ડીંગ નામની ઈમારતમાં લાગી હતી.આ ભીષણ આગમાં અત્યાર સુધી બે લોકોના મોતના અહેવાલ છે. અને છ વૃદ્ધોને સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.મુંબઈના મેયર કિશોરી પેડનેકરે જણાવ્યું હતું કે ઓક્સિજન સપોર્ટની જરૂરિયાતવાળા છ લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આગ પર કાબૂ કરવામાં આવ્યો છે પરંતુ ધુમાડાના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ ભારે મુશ્કેલી પડી રહી છે
અધિકારીઓએ જણાવ્યું કે બિલ્ડિંગમાં લેવલ થ્રી આગ લાગી હતી. આગ એટલી ખતરનાક હતી કે 13 ફાયર ટેન્ડરોની મદદથીકે આગ ને કાબુમાં લઈ શકાયું જો કે ઈમારતમાં હજુ લોકોને બચવાની કામગીરી ચાલુ છે અધિકારીઓએ જણાવ્યું કે બિલ્ડિંગની નજીક પાંચ એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે.