નવસારી જિલ્લામાં રહેતા કિન્નરો વચ્ચે વિસ્તાર તેમજ અખાડાના વડાને લઈને વિવાદ ઉઠયો છે. બારડોલીના કિન્નરને સમાજના મુખ્ય અખાડામાંથી બહિષ્કૃત કરવામાં આવ્યો હતો. આ કિન્નર નવસારીના ૩૦ કિન્નરોને હેરાનગતિ કરતો હોવાનો આક્ષેપ લાગ્યો છે. આજે વિજલપોર ખાતે પ્રેસ કોન્ફરન્સમાં કિન્નરોએ રોષ ઠાલવ્યો હતો. કિન્નરોએ ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવીને સમસ્યાના નિરાકરણની માંગણી ઉચ્ચારી હતી. પુનમકુંવર દ્વારા નવસારીના કિન્નરોને નવસારી છોડવા સહિત માર મારવાની ધમકીઓ આપી હોવાનો આરોપ લાગ્યો છે. મુસ્કાનકુંવર સહિત ૩૦ કિન્નરોને કોઈ પણ હાની પહોંચશે તો એની જવાબદારી પુનમકુંવર,બબીતાકુંવર, ઈશિતાકુંવર અને ચંદનકુંવરની હોવાની ચેતવણી ઉચ્ચારી હતી.
Friday, May 3