ભારતની સરકાર દ્વારા 5 ઓગસ્ટ 2019ના રોજ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીરામનાથ કોવિંદના આદેશથી કલમ 370 અને 35(A) હટાવવામાં આવી છે જેના ભાગસ્વરૂપ જમ્મુ અને કાશ્મીરમાં અલગ બંધારણ અને બેવડી નાગરિકતા જેવા કાયદાઓનું ખંડન થયું છે.
સાથોસાથ જમ્મુ અને કાશ્મીરનું અલગ બંધારણ પણ ગેરલાયક ઠરયુ છે. કાશ્મીર મુદ્દે કેટલાય લોકો ને પ્રશ્ન પણ થાય છે કે જે કલામોને 70 વર્ષોમાં નાબૂદ ના કરી શકાઇ તે અચાનક નાબૂદ કઇ રીતે થઈ ગઈ.. અને વિપક્ષોએ પણ આ પ્રશ્ન ઉપાડ્યો હતો.
તો આ સમસ્યાનું નિરાકરણ ખુદ આ કલમના એક પેટાકલમમાં હતો. 370(3) ના અંતર્ગત જ્યારે જમ્મુ અને કાશ્મીરની વિધાનસભા અસ્તિત્વમાં ના હોય ત્યારે વિધાનસભાની સર્વે શક્તિઓ સંસદ પાસે આવી જાય અને ત્યારે રાષ્ટ્રપતિશ્રી સદન લમાં બહુમતી પસાર કરી આ કલમને દૂર કરી શકતા હતા અને છેલ્લે આવું જ થયું..
આ કલમના નાબૂદ થવાથી આ વર્ષે 73માં સ્વતંત્રતા દિવસની ઉજવણી જમ્મુ અને કાશ્મીર અને લદાખ અને ખીણ ક્ષેત્રોમાં ધામધૂમથી કરવામાં આવશે. આ કલમના નાબૂદ થવાથી પંચાયતરાજનો કાયદો કાશ્મીરમાં લાગુ પડશે જેનાથી ગ્રામપંચાયતોની સ્વાયત્તતામાં વધારો થયો છે અને જમ્મુ અને કાશ્મીરની ગ્રામપંચાયતોએ ત્યાંના દરેક ગામ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી અને ધ્વજારોહણના કાર્યક્રમોનું આયોજન કર્યું છે.
આઝાદીના 72વર્ષો બાદ ખાલી તિરંગોજ જમ્મુ અને કાશ્મીરમાં ફરકાવવામાં આવશે અને ‘એકદેશ અને એક રાષ્ટ્રધ્વજ’ની વાત સાર્થક થશે.
ડો. શ્યામાપ્રસાદ મુખરજીના પ્રયત્નોના શરૂઆતના કારણે આજે આ સફળતા મળી છે જેમને આ દિવસ ખાસ યાદ કરવામાં આવશે. જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાના બંદોબસ્ત કડક રાખવામાં આવ્યા છે જેના થકી આ પર્વ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવના બને. આમ લંબસમય બાદ જમ્મુ અને કાશ્મીરમાં આ પર્વની ઉજવણી થવાની હોય હવે સાચેજ એવું લાગે છે કે ભારતદેશ અને જમ્મુ અને કાશ્મીરમાં વિકાસની ગતિ આગળ વધશે.
વિવિધ સરકારી અને અર્ધસરકારી ઇમારતને લાઈટ અને તોરણોથી શણગારવામાં આવી છે અને શાળાઓમાં વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા છે.