[highlight]સેન્ટર તથા ઇલેકશન કમિશનની સૈધાંતિક સંમતિનો અમલ એક સપ્તાહમાં થાય તે જોવા ખંડપીઠનો હુકમઃ નાગેન્દર ચિન્દમ તથા શમસીર વીપી દ્વારા NRI પ્રશ્નો હલ કરવા દાખલ કરાયેલી પીટીશનનો પડઘો[/highlight]
NRIમતદાન કરી શકે તેમજ પોસ્ટલ બેલેટથી મત આપી શકે તે માટે ૧૯૫૦ની સાલના જુના કાયદામાં ફેરફાર કરવા અથવા સુધારો કરવા સુપ્રિમ કોર્ટએ ઇલેકશન કમિશન તથા સેન્ટરને તાકીદ કરી છે. તેમજ એક સપ્તાહમાં જાણ કરવા સૂચના આપી છે.
સુપ્રિમ કોર્ટના ચિફ જસ્ટીસ જે એસ ખેખર તથા જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડની ખંડ પીઠે આજ શુક્રવારના રોજ ઉપરોક્ત આદેશ જારી કર્યો છે. જે મુજબ ઇલેકશન લોમાં સુધારો કરી NRIમાટે મતદાનની સુવિધાનું નિર્માણ કરવા જણાવ્યું છે.
જો કે સેન્ટર તથા ઇલેકશન કમિશનની ઉપરોક્ત બાબતે સંમતિ છે જ પરંતુ તેનો અમલ એક સપ્તાહમાં થઇ જાય તે જોવા અનુરોધ કરાયો છે જે નાગેન્દર ચિંદમ તથા શમસીર વીપી દ્વારા દાખલ કરાયેલી NRIને લગતા પ્રશ્નો માટેની પીટીશન અંતર્ગત નિર્ણય લેવાયો છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.