પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં આજે નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કરવાના છે.આજે વર્ચ્યૂઅલ માધ્યમથી પીએમ મોદી નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કરવાના છે.15 હજાર ચોરસ મીટરમાં આ અતિથિગૃહ ફેલાયેલું જોવા મળ્યું છે સાથે જ અદ્યતન સુવિધાઓથી બનેલું જોવા મળ્યું છે.પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે સોમનાથમાં છેલ્લા કેટલાક સમયથી જે રીતે વિકાસ કાર્યો થયાં છે તે સોમનાથ દાદાની અસીમ કૃપાથી થયાં છે.સોમનાથ ટ્રસ્ટની સાથે જોડાયા બાદ અહી ઘણા કામમાં ફેરફાર થયા છે સર્કિટ હાઉસને એવી રીતે બનાવામાં આવ્યું છે કે રોકાનાર લોકોને સી વ્યૂ જોવા મળશે.શાંતિથી રૂમમા બેસશે તો સમુદ્રની લહેરોનો નજરાણો અહીંથી જોવા મળશે.
મંદિરનુ શિખર પણ જોવા મળશે.સુવિધા વધવાના કારણે ગીર દીવ દ્વારકા બેટ દ્વારકા વિસ્તારમાં જે મુસાફરો આવશે તો આ વિસ્તારનું સોમનાથ ટુરિઝમ સેક્ટરનુ સેન્ટર પોઈન્ટ બની જશે વધુ વિગતે જણાવતા તેમણે કહ્યુ કે આજે આઝાદીના અમૃતમહોત્સવમા દેશના ભૂતકાળમાંથી જે શીખવા મળ્યું છે તે સોમનાથ મહત્વનુ કેન્દ્ર બન્યું છે. સોમનાથ મંદિરમાં દર્શન કરવા દર વર્ષે અલગ અલગ રાજ્યો માંથી અંદાજે એક કરોડ શ્રદ્ધાળુઓ આવે છે. આ શ્રદ્ધાળુઓ નવા અનુભવ લઈને પરત જાય છે.સરકાર અને સંસ્થાના પ્રયત્ન થી અનેક મંદિરનો વિકાસ કર્યો છે. સોમનાથ મંદિર જીવતું ઉદાહરણ છે. સોમનાથ મંદિરમાં આજે અહી શ્રદ્ધાળુઓ માટે તમામ સુવિધા ઉપલબ્ધ છે.પીએમ મોદીએ જણાવ્યુ કે સોમનાથમાં પીલગ્રીમ કોમ્પ્લેક્સનું પ્રસ્તાવ પણ અંતિમ ચરણમાં નોંધાયેલું છે.ગુજરાતના અનેક સ્થળો પર આવા વિકાસકાર્યો થતા નજરે જોવા મળી રહ્યા છે.ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ મજબૂત કરી રહ્યા છે.દેશમા પર્યટન વિકાસ ક્ષેત્રે ગત 7 વર્ષમા મોટુ કામ થયુ છે.આ વિકાસ માત્ર સરકારી યોજનાનો ભાગ જ નથી પણ જનભાગીદારીનો એક ભાગ છે.દિલ્હીથી એક સ્પેશિયલ ટ્રેન આવતીકાલથી મુસાફરો માટે શરૂ થઈ રહી છે.વિદેશી મુસાફરો માટે વીઝા નિયમોને સરળ બનાવાયા છે જેનો લાભ દેશને મળી રહ્યો છે. કોવિડને કારણે હાલ તકલીફ છે પણ મારો વિશ્વાસ છે કે સંક્રમણ ઓછુ થતા જ પર્યટકોની સંખ્યા તેજીથી વધશે.સરકાર ટુરિસ્ટ સ્થળોએ પણ વેક્સીનેશન ઝડપથી થાય તે માટેની કામગીરી કરી રહી છે.