ઉત્તરપ્રદેશ તા.2 : બહુજન સમાજવાદી પાર્ટી ના નેતા માયાવતી એ સમાજવાદી પાર્ટી પર નિશાન સાધતા ઉત્તરપ્રદેશ ની જનતા ને જણાવ્યું હતું કે તમારા કિંમતી મત ને ખોટા હાથ માં જવા દઈ ને તેનો દુર્વ્યય કરશો નહિ.તેમણે વધુ માં જણાવ્યું હતું કે સમાજવાદી પાર્ટી ના લોકો એ જ યોજના નો વાયદો તમને કરી રહ્યા છે જે વાયદા મેં અને મારી સરકાર કર્યા હતા જયારે અમે સત્તા પર હતા.
બુધવાર ની એક સભા દરમિયાન માયાવતી એ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ ના ગઠબંધન પર નિશાન સાધતા જણાવ્યું હતું કે સમાજવાદી પાર્ટી એ મજબૂરી ના મારે આ ગઠબંધન કરવું પડ્યું છે.અન્ય આક્ષેપ માં જણાવ્યું હતું કે ” જયારે સમાજવાદી પાર્ટી ના શાસન દરમિયાન ઉત્તરપ્રદેશ ગુંડા રાજ ફળી ફૂલી રહ્યું હતું ત્યારે કોંગ્રેસ એ તેને ઢાંકવા માટે ઘણા પ્રયાશો કર્યા હતા.હવે ઉત્તરપ્રદેશ ની જનતા પર છે કે તે આવા ભ્રષ્ટ લોકો ને તેમનો કિંમતી મત આપશે કે પછી બીએસપી ને આપી રાજ્ય ના કાયદા માં શ્રેષ્ઠ સુધાર લાવશે.તમામરો મત કોંગ્રેસ કે એસપી ને જશે તો તેનો દુર્વ્યય થશે”
તેમને આ ભાષણ દરમિયાન અખિલેશ યાદવ ની સાથે તેમના કાકા શિવપાલ યાદવ ને પણ ધ્યાન માં લીધા હતા અને જણાવ્યું હતું કે ” શિવપાલ યાદવ ને મુલાયમ સિંઘ દ્વારા ભોગ બનેલા માંથી એક છે મુલાયમ સિંઘે તેમના પુત્ર અખિલેશ યાદવ ને પ્રોત્સાહન આપવા માટે પાર્ટી ના અન્ય લોકો ની અવગણના કરી છે”
તેમને પાર્ટી માં ચાલી રહેલા વિવાદ ને લઇ જણાવ્યું હતું કે ” મુલાયમ સિંઘ પુત્ર મોહ ના કારણે શિવપાલ યાદવ નું અપમાન કર્યું છે.હવે શિવપાલ યાદવ તેમને પાઠ ભણાવશે અને જેના કારણે શિવપાલ યાદવ અને અખિલેશ યાદવ એક બીજા ના તોડવા માટે એડી ચોટી ના પ્રયાશો કરશે.અને તેમની આ પ્રકાર ની નીતિ ના કારણે હું ઉત્તરપ્રદેશ ને દલિત લોકો ને વિનંતી કરું છુ કે તમારો મત બહુજન સમાજવાદી પાર્ટી ને આપો અને તેની વ્યય થતો અટકાવો” ઉલ્લેખનીય છે કે થોડા સમય માં ઉત્તરપ્રદેશ માં ચૂંટણી યોજાનારી છે તેમાં સમાજવાદી પાર્ટી ની બીએસપી પણ જોલા ખાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે.