નવા મુખ્યમંત્રી અને નવા કેબિનેટ મંત્રીઓ સાથે વડાપ્રધાન મોદી ગુજરાત ના વિકાસ વિશે વિચાર વિમર્શ કરશે
ભાજપના અન્ય પદાધિકારીઓ સાથે પણ વડાપ્રધાન મોદી રાજયની રાજકીય સ્થિતિ અંગે ચર્ચાઓ કરશે
ગાંધીનગર મહાનગર પાલિકામાં ભાજપની ભવ્ય વિજય બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ગાંધીનગર રેલ્વે સ્ટેશને પર મહિલા સ્વસહાય જૂથ સંચાલિત ટી સ્ટોલનું ઉદ્ઘાટન કરશે. ગરીબ પરિવારોની મહિલાઓને રોજગારી અને આર્થિક ટેકો મળી રહે તે હેતુથી આ ટી સ્ટોલ શરૂ કરવામાં આવીછે. આ સાથે તેઓ પાનસર ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદઘાટન પણ કરશે. મોડી સાંજે તેઓ માદરે વતન માણસામાં પરિવાર સાથે કુળદેવી માતા ના દર્શન કરશે. બીજી તરફ વડાપ્રધાન મોદી પણ ઓક્ટોબરના અંતમાં ગુજરાતની મુલાકાતે આવે તેવી સંભાવનાઓ છે. 31 ઓક્ટોબરે સરદાર જ્યંતિ છે ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાંકેવડીયા ખાતે સ્ટેચ્યુચ ઓફ યુનિટીએ ભાગ લેશે.
પાનસર ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ
ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ કલોલ ના પાનસર ગામ ખાતે નવું આરોગ્ય કેન્દ્ર છેલ્લા ઘણા વખતથી નિર્માણાધિન હતું તે સંપુર્ણ બની ગયા બાદ આજે ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કલોલમાં આવી રહ્યા છે ત્યારે તેમના હસ્તે પાનસરના આ નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરશે. અહીં છ બેડની વ્યવસ્થા ઉપરાંત લેબોરેટરી તથા માઇનોર ઓટીની પણ સુવિધા ઉભી કરવામાં આવ છે. જ્યારે કલોલના જ હાજીપુરમાં પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઇ-લોકાર્પણ કરવામાં આવશે. જેના કારણે હવે આ વિસ્તારના દર્દીઓને તેનો સારો એવો લાભ મળી રહેશે.
કેવડિયા ખાતે નવા આકર્ષણોનું લોકાર્પણ કરશે
પ્રધાન્મંત્રી મોદી ઓક્ટોબરના અંતમાં ગુજરાતની મુલાકાતે તેવી શક્યતાઓ છે. 31 ઓક્ટોબરે સરદાર જ્યંતિ છે. ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં તેઓ ભાગ લેવા કેવડીયા ખાતે આવશે અને તે માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે. તેઓ 30 અને 31 ઓક્ટોબરે ગુજરાત આવી શકે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થાય છે. કેવડિયામાં બીજા નવા આકર્ષણો ઉભા કરવામાં આવી રહ્યાં છે. જેથી મોદી ઓક્ટોબરના અંતમાં આવીને આ આકર્ષણોનું લોકાર્પણ કરશે. વડાપ્રધાનના પ્રવાસને લઇને રાજ્ય સરકારે તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દીધી હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે.
નવી સરકાર સાથે ચર્ચા કરશે વિચારણા
પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની કેબિનેટના મંત્રીઓ સાથે પ્રથમવાર ગાંધીનગરમાં મળશે. તે ઉપરાંત ભાજપના અન્ય પ્રદેશ પદાધિકારીઓ સાથે ગુજરાતની હાલની રાજકીય સ્થિતિ અંગે વિચાર વિમર્શ કરશે તેવું ચર્ચાઈ રહ્યું છે. વડાપ્રધાને ગત વર્ષે અમદાવાદના રીવરફ્રન્ટથી કેવડિયા સુધી સી પ્લેનમાં મુસાફરી કરી હતી. તે વખતે તેમણે ગુજરાતના પ્રથમ સી પ્લેનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ વખતે રાજ્યના નવી સરકારમાં તેઓ પહેલીવાર ગુજરાત આવી રહ્યાં છે.