આ વખતે દિવાળી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં 614 કરોડ રૂપિયાના 33 પ્રોજેક્ટ રજૂ કરશે. આ માટે વહીવટી અધિકારીઓ રવિવારે કાર્યક્રમનું આયોજન કરવાની તૈયારીઓમાં વ્યસ્ત હતા અને આ કાર્યક્રમ માટે સક્રિય જણાતા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે સાંજે ટ્વીટ કર્યું હતું કે, આવતીકાલે વારાણસીની વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ પ્રકરણ ઉમેરવામાં આવશે. સવારે 10.30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે અનેક પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. તેમાં કૃષિ અને પ્રવાસન સાથે અન્ય માળખાગત પરિયોજનાઓનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9 નવેમ્બરે સવારે 10.30 કલાકે વારાણસીમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કરશે અને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 614 કરોડ રૂપિયા છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આ યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહેશે.