દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની સીબીઆઈએ દારૂ કૌભાંડ કેસમાં 8 કલાકની પૂછપરછ બાદ ધરપકડ કરી છે. CBI દ્વારા આજે મનીષ સિસોદિયાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. પોલીસે પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થા કરી છે.સિસોદિયાની ધરપકડ અંગે સીબીઆઈએ કહ્યું કે તેણે ઉદ્ધત જવાબો આપ્યા અને તપાસમાં સહકાર આપ્યો ન હતો. જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 2021-22 માટે આબકારી નીતિ ઘડવામાં અને અમલમાં મૂકવા અને ટેન્ડર પછીના લાભો ખાનગી વ્યક્તિઓને આપવામાં કથિત અનિયમિતતાના સંબંધમાં નાયબ મુખ્યમંત્રી અને પ્રભારી આબકારી મંત્રી મનીષ સિસોદિયા અને અન્ય 14 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો.
દરમિયાન બીજેપી નેતા મનોજ તિવારીએ કહ્યું છે કે દારુ કૌભાંડના માસ્ટરમાઇન્ડની ધરપકડ કરવાની બાકી છે. તિવારીએ કહ્યું કે કાયદો પોતાનું કામ કરી રહ્યો છે. સિસોદિયાની ધરપકડ માત્ર એટલા માટે કરવામાં આવી નથી કારણ કે તે આ કેસમાં આરોપી છે, પરંતુ પુરાવાનો નાશ કરવા માટે પણ છે.
દારુ કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી સોમવારે બપોરે 12 વાગ્યે બીજેપી હેડક્વાર્ટર ખાતે વિરોધ પ્રદર્શન કરશે.
પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે જો પ્રદર્શન દેશ વ્યાપી સ્તર પર થશે.
દક્ષિણ જિલ્લાના ડેપ્યુટી કમિશનર ચંદન ચૌધરીએ જણાવ્યું કે રાજ્યસભા સાંસદ સંજય સિંહ, મંત્રી ગોપાલ રાય, ધારાસભ્યો રોહિત કુમાર અને દિનેશ મોહનિયા સહિત 36 લોકોની કલમ 144ના ઉલ્લંઘનમાં અટકાયત કરવામાં આવી છે.
AAP ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે અમે સતીન્દર જૈનની ધરપકડ વિશે પહેલા જ કહ્યું હતું, ત્યારે બીજેપીએ કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના લોકો ખોટું બોલી રહ્યા છે. અમે કહ્યું કે હવે મનીષ સિસોદિયા તેમનું નિશાન છે, તો ભાજપે કહ્યું કે આવું કંઈ થવાનું નથી. આજે તમામ એજન્સીઓ બંધારણ/કાયદા પ્રમાણે નહીં પણ ભાજપની સ્ક્રિપ્ટ પ્રમાણે કામ કરી રહી છે.
તેલંગાણામાં શાસક ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) એ દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની ધરપકડની નિંદા કરી, તેને અલોકતાંત્રિક પગલું ગણાવ્યું. એક નિવેદનમાં, બીઆરએસના કાર્યકારી પ્રમુખ કેટી રામા રાવે જણાવ્યું હતું કે ભાજપ એવા રાજ્યોમાં વિપક્ષી પક્ષો સામે કેન્દ્રીય એજન્સીઓને ઉશ્કેરીને છેતરપિંડીનું રાજકારણ રમી રહી છે જ્યાં તે સત્તામાં ન આવી શકે.