બનાસકાંઠામાંથી ભાજપનાં દાંતા વિધાનસભામાં 2009માં ધારાસભ્ય રહી ચૂકેલા વસંત ભટોળ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના લોકસભા ઉમેદવાર પરથી ભટોળના તેઓ પુત્ર છે. વસંત ભટોળ એટલા માટે રાજીનામું આપશે કારણ કે જિલ્લામાં શંકર ચૌધરીના વ્યક્તિવાદ ભાજપનું બનાસકાંઠામાંથી નિકંદન કાઢી રહ્યા છે. તેના વિરોધમાં તેઓ રાજીનામું આપી દીધું હતું. પુર્વ ધારાસભ્ય વસંત ભટોળ ભાજપથી પક્ષાંતર કરીને કોંગ્રેસમા જોડાયા છે. 5000થી પણ વધુ સમર્થકો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે.
વસંત ભટોળ ધારાસભ્ય રહ્યાં બાદ બીજી વખત ભાજપે તેમની ટિકિટ કાપી હતી. તે માટે શંકર ચૌધરી જવાબદાર માનવામાં આવે છે. તેથી તેમને હાસિયામાં ધકેલી દીધાં હતા. બાદ તેમનાં પિતા પરથી ભટોળ પાસેથી શંકર ચૌધરીએ કાવાદાવા કરીને બનાસડેરી પણ છીનવી લીધી હતી. ત્યારબાદ વસંત ભટોળ અને તેમના પિતાની સતત ભાજપમાં શંકર ચૌધરી અવગણ કરતાં રહ્યા હતા.
વસંત ભટોળનો સીધો ઇશારો ભાજપના પૂર્વ નેતા અને બનાસકાંઠાડેરી ચેરમેન શંકર ચૌધરી સામે હતો. ભાજપમાં બનાસકાંઠામાં માત્ર એક જ વ્યક્તિ શંકર ચૌધરીના નિર્ણયો સ્વીકારાય છે. જેથી જિલ્લામાં ભાજપે વર્ષ 2017ની ચૂંટણીઓમાં કોંગ્રેસ સામે હાર જોવી પડી હતી. તેવું પણ જણાવ્યું હતું. વસંત ભટોળમાં તેમને સંગઠન કે સરકારમાં કોઈ જવાબદારી નથી.
ભાજપે કેન્દ્રીય પ્રધાનની ટિકિટ કાપીને રૂપાણી સરકરાના સિંચાઈ પ્રધાન પરબત પટેલને લોકસભામાં ટિકિટ આપી છે. તે પરથી ભટોળ માંગી રહ્યાં હતા પણ શંકર ચૌધરીએ તેમને ટિકિટ આપવા દીધી ન હતી. તેથી તેઓ કોંગ્રેસમાં પક્ષાંતર કરીને હવે તેઓ કોંગ્રેસના ઉમેદવાર છે. બનાસ ડેરીનાં પુર્વ ચેરમેન અને ગાંધીવાદી નેતા પરથી ભટોળ શંકર ચૌધરી સામે સતત લડતાં રહ્યાં હતા. કારણ કે બનાવ ડેરીની આર્થિક રીતે શંકર ચૌધરીએ પાયમાલ કરી દીધી છે. કરોડો રૂપિયાના દૂધના કૌભાંડો પણ બહાર આવ્યા છે. ભાજપ માટે બનાસકાંઠા બેઠક એક માત્ર શંકર ચૌધરીના કારણે જોખમમાં મૂકાઈ છે.
ભાજપના આંતરિક વિખવાદના કારણે 10 ટકા મતદાન ઓછું થશે. ઈતર કોમ નારાજ છે. જે બધા મત ભાજપના તૂટશે. હવાતીયા મારે છે કે ઉમેદવારીપત્ર ભરાઈ ગયા બાદ શશિકાંત પંડ્યા પણ મેદાનમાં આવે તેમ છે. ગમે તે જીતે પણ જીતશે ચૌધરી એવું લોકો માની રહ્યાં છે તેથી ચૌધરી સામે ભારે વિરોધ છે. પરબત પટેલને ધક્કમારીને ચૂંટણી લડે છે. તેઓ હારી જાય તો જ તેમને ફાયદો છે. શંકર ચૌધરીનું કાવતરું છે કે આ જગ્યા હારે તો ત્યાં તેઓ પેટા ચૂંટણી લડીને રૂપાણી સરકારમાં પ્રધાન બને. પણ પરબત ચૌધરી પટેલ આબાત જાણી શકે છે.
શંકર ચૌધરી ખતમ થાય એવું પરબત પટેલ ઈચ્છી રહ્યાં છે. તેથી તેમની હાર થાય તો તેમને ફાયદો છે. અને શંકર ચૌધરીની હાર મનાશે.
બનાસકાંઠામાં હવે કોંગ્રેસ નહીં પણ પરથી ભટોળનું ઘર હવે કોંગ્રેસનું કાર્યાલય બની જશે. કોંગ્રેસ ફરી એક વખથ જીતશે. બી કે ગઢવીએ કોંગ્રેસનું કાર્યાલય બનાવાયું હતું તેને તાળુ બી કે ગઢવીના પુત્ર દિનેશ ગઢવીએ કોંગ્રેસના તાળું મારી દેવા જવાબદાર બન્યા છે.
મનમોહનને બોલાવવા માટે નક્કી હતું પણ તેમણે નરેન્દ્ર મોદીને બોલાવેલું છે. શરદ પવારના કારણે ટિકિટ આપી હોવાનું માનવામાં આવે છે. શંકરસિંહને એનસીપીની ટિકિટ આપવાની હતી પણ સમજુતી ન થતાં શરદ પવારે ટિકિટ અપાવી છે. કોંગ્રેસ સંપુર્ણ પણ નારાજ છે. કોંગ્રેસમાં કોઈને ટિકિટ આપી હોય તો પણ જીતે તેમ ન હતા.
વિધાનસભાની 2017ની ચૂંટણી હારી ગયેલા પૂર્વ ધારાસભ્ય ગોવા દેસાઈને ટિકિટ જોઈતી હતી. તેથી તેઓ પણ નારાજ છે. લીલાધર ભાજપથી નારાજ છે