પંજાબના નવા મુખ્યમંત્રી બનતાની સાથે જ CM ભગવંત માન એક્શનમાં આવી ગયા છે. ભગવંત માને જાહેરાત કરતા જણાવ્યું કે, ‘તારીખ 23 માર્ચના રોજ ભગતસિંહના શહીદ દિવસ પર એન્ટી કરપ્શન હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવશે. પંજાબના લોકો હવે WhatsApp ના આધારે ભ્રષ્ટાચારની ફરિયાદ દાખલ કરાવી શકશે. CM ભગવંત માને કહ્યું કે, ‘ આ હેલ્પલાઇન નંબર ઇમાનદાર ઓફિસરો અને કર્મચારીઓ માટે નહીં પરંતુ લાંચ લેનારા ઓફિસરો માટે છે. તેઓને બિલકુલ છોડવામાં નહીં આવે. તેઓની વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.’
તમને જણાવી દઈએ કે, ભગવંત માને ગઈકાલે શહીદ ભગત સિંહના મૂળ ગામ ખટકરકલાંમાં સીએમ તરીકે શપથ લીધા હતા. આ પછી તેમણે પંજાબ સિવિલ સચિવાલયમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં કાર્યભાર સંભાળ્યો. મુખ્યમંત્રી સચિવાલયમાં પ્રવેશતા જ ઉજવણીનો માહોલ છવાયો હતો અને ચારે બાજુથી અને બાલ્કનીમાં ઉભેલા કર્મચારીઓ તરફથી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
भगत सिंह जी के शहीदी दिवस पर, हम anti-corruption हेल्पलाइन नम्बर जारी करेंगे। वो मेरा पर्सनल वॉट्सऐप नंबर होगा। अगर आपसे कोई भी रिश्वत मांगे, उसकी वीडियो/ऑडियो रिकॉर्डिंग करके मुझे भेज देना। भ्रष्टाचारियों के ख़िलाफ़ सख्त एक्शन लिया जाएगा।
पंजाब में अब भ्रष्टाचार नहीं चलेगा।
— Bhagwant Mann (@BhagwantMann) March 17, 2022
મુખ્યમંત્રીએ સિવિલ સચિવાલય ખાતે પંજાબ પોલીસની 82મી બટાલિયન વતી ગાર્ડ ઓફ ઓનર લીધું હતું. મુખ્ય સચિવ અનિરુદ્ધ તિવારી અને ડીજીપી, પંજાબ વીકે ભાવડા સહિત વરિષ્ઠ IAS અધિકારીઓએ મુખ્યમંત્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું.
કાર્યભાર સંભાળ્યા બાદ તરત જ મુખ્યમંત્રી ભગવંત માને આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને ટૂંકા પરંતુ સ્પષ્ટ સંદેશમાં જણાવ્યું હતું કે રાજ્યની જનતાએ ઐતિહાસિક જનાદેશ આપ્યો છે. તેમની સરકાર જનહિતકારી નીતિઓ માટે સતત કામ કરશે. મુખ્યમંત્રીએ અધિકારીઓ અને કર્મચારીઓને લોકોના જીવનધોરણના સુધાર માટે સાથે મળીને કામ કરવાની ખાતરી પણ આપી હતી.