નવી દિલ્હી : કોરોના લોકડાઉન પર કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે લોકડાઉન પર કહ્યું છે કે, સમજ્યા – વિચાર્યા વગર અને પ્લાનિંગ વગર નિર્ણય લેવાથી નુકસાન માત્ર નાણાકીય થતું નથી.
કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા કોંગ્રેસે કહ્યું કે, નોટબંધીની જેમ લોકડાઉનને કારણે ભારતને ઘણું નુકસાન થયું છે. કોંગ્રેસે કહ્યું છે કે, 14 કરોડથી વધુ લોકોએ નોકરી ગુમાવી છે. આવતા અઠવાડિયામાં લાખોની નોકરી જવાની આશંકા છે, શું ભાજપ સરકાર તેમની મદદ કરવાની યોજના ધરાવે છે?
ભૂતપૂર્વ કાયદા પ્રધાન કપિલ સિબ્બલે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી હતી કે. કોરોના વાયરસના ચેપનો સામનો કરવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ રાષ્ટ્રીય યોજના તૈયાર કરવામાં આવે. તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે સરકારે લોકડાઉન પર વિચાર કરવો જોઇએ. સરકાર લોકોને લોકડાઉન અને અર્થવ્યવસ્થામાં લોકઆઉટમાં રાખી શકતી નથી.
કોરોના પર રાષ્ટ્રીય યોજના ક્યારે બનશે
કપિલ સિબ્બલે કહ્યું કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 ની કલમ 11 કહે છે કે સમગ્ર દેશના ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેની યોજના બનાવવામાં આવશે. જો કોવિડ -19 આવે છે, તો તેના માટે રાષ્ટ્રીય સ્તરે એક યોજના બનાવવામાં આવશે. તે રાષ્ટ્રીય યોજના શું છે? 24 માર્ચથી આજે એપ્રિલના ચોથા અઠવાડિયા સુધી આજે પણ રાષ્ટ્રીય યોજના નથી