ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા સુરતમાં આપેલા વિવાદિત નિવેદન અને કોંગ્રેસને ખુલ્લેઆમ ધમકી સહિત ગાળ આપવાના પ્રકરણમાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે જવાબ આપ્યો છે. પ્રતાપ દૂધાતે જીતુ વાઘાણીની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે અને કહ્યું કે આવા નિવેદનો વાઘાણીની સંસ્કૃતિ અને સંસ્કાર દર્શાવી રહ્યા છે.
ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસને ગાળ બોલી સાથે આપેલી ધમકીને લઈ કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે આનો જવાબ આપ્યો છે. પ્રતાપ દુધાતે કહ્યું કે જીતુ વાઘાણીનીએ અમને ગાળ આપી છે, એ એમની સંસ્કૃતિ છે. એમના સંસ્કાર છે. એમણે તો અમને લુખ્ખા કહ્યા છે. ભૂતકાળમાં મહિલાઓને ગાળ આપવાનું એમણે કામ કર્યું છે. માફીઓ પણ માંગવી પડી છે અને કોણ લુખ્ખા છે કોણ હરામી છે એ અમને શોભે નહીં એટલા માટે કે ભાજપ હતાશામાં છે અને હતાશામાં વાઘોડીયાના ધારાસભ્ય શ્રીવાસ્તવ કેવા પ્રકારનું વર્તન કરી રહ્યા છે.મીડિયા સાથે પણ બેહુદું વર્તન કરી રહ્યા છે. ભાજપ સત્તાથી દુર જઈ રહ્યો છે અને તે હતાશા તેમની વાણીમાં દેખાઈ રહી છે.
નોંધનીય છે કે સુરત લોકસભા બેઠકના ઉમેદવાર દર્શના જદરોષના ચૂંટણી કાર્યાલયનું ઉધ્ધાટન કરવા આવેલા વાઘાણીએ કોંગ્રેસને લુખ્ખા કહ્યા હતા અને વધુમાં હરામજાદા જેવા હલકી કક્ષાના શબ્દનો પ્રયોગ કર્યો હતો.