નવી દિલ્હી : કોરોના વાયરસના ફાટી નીકળવાના કારણે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યો છે. આની અસર એ છે કે ટોચની મ્યુચ્યુઅલ ફંડ કંપની ફ્રેન્કલિન ટેમ્પલટોનએ ભારતમાં તેની 6 યોજનાઓ બંધ કરી દીધી છે.
ફ્રેન્કલિન ટેમ્પલટોનના આ નિર્ણયને કારણે રોકાણકારોના લગભગ 28 થી 30 હજાર કરોડ રૂપિયા અટવાયા છે. હવે આ મામલે પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમનું નિવેદન આવ્યું છે. ચિદમ્બરમે 2008ની મંદી દરમિયાન આવી જ કટોકટીનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે, કહ્યું છે કે તત્કાલીન યુપીએ સરકારે આ મામલો કેવી રીતે સંભાળ્યો હતો.
ચિદમ્બરમે શું કહ્યું?
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે કહ્યું કે, આ મામલો રોકાણકારો, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ અને ફાઇનાન્સ બજારો માટે ચિંતાનો વિષય છે. ચિદમ્બરમે કહ્યું કે, વૈશ્વિક નાણાકીય સંકટ દરમિયાન ઓક્ટોબર 2008 ના પહેલા અઠવાડિયામાં આવી જ પરિસ્થિતિ ઉભી થઇ હતી. ત્યારબાદ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગને રોકડની તંગીનો સામનો કરવો પડ્યો.
આ પછી, સરકારે તરત જ આરબીઆઈ, સેબી, ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશન સહિતની અન્ય જાણકાર સંસ્થાઓ સાથે સલાહ લીધી. ત્યારબાદ નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદ (એફએસડીસી) સાથે તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. ચિદમ્બરમે વધુમાં જણાવ્યું કે, દિવસના અંત સુધીમાં, એક સમાધાન શોધી કાઢવામાં આવ્યું. આ પછી, આરબીઆઈએ 14 દિવસ માટે ખાસ રેપો સુવિધાની જાહેરાત કરી હતી. ચિદમ્બરમે આશા વ્યક્ત કરી છે કે, સરકર આ બાબતને ગંભીરતાથી લેશે અને યોગ્ય ઉકેલ લાવશે.