દાદરા નગર હેવલી સેલવાસમાંથી કોંગ્રેસે આદિવાસી એકતા પરિષદના પ્રભુ ટોકીયાને ટીકીટ આપવાની જાહેરાત કરી છે. પ્રભુ ટોકીયાને ટીકીટ મળતા તેમના ટેકેદારોમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે.
હવે આ બેઠક પર ત્રિપાંખીયો જંગ મંડાવાનો છે. ભાજપ-કોંગ્રેસ ઉપરાંત અપક્ષ તરીકે મોહન ડેલકરે ઉમેદવારી કરી છે. કોંગ્રેસના ઉમેદવાર પ્રભુ ટોકીયા પાછલા કેટલાક વર્ષોથી આદિવાસી વિસ્તારમાં કાર્યરત રહ્યા છે. ખાસ કરીને દાદરા-નગર હવેલીના પ્રશ્નોને લઈ પ્રભૂ ટોકીયાએ આંદોલનો અને વિરોધ પ્રદર્શનો પણ કરેલા છે. કોંગ્રેસં કરેલી પસંદગી કેટલી સફળ થશે એ આવનાર સમય જ કહેશે,