લોકસભા ચૂંટણીના અનુસંધાને કોંગ્રેસે વધુ સાત ઉમેદવાર જાહેર કર્યા છે. ખાસ કરીને રાદડીયા પરિવારના ગઢ બનેલા પોરબંદરમાં આ વખતે કોંગ્રેસે હાર્દિક પટેલના સાથી એવા લલિત વસોયાને ટીકીટ આપી છે. લલિત વસોયા હાલ ધોરાજીના ધારાસભ્ય પણ છે. લલિત વસોયાએ પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલ અને પાટીદાર યુવાનો સાથે ખભેથી ખભે મિલાવી કામ કર્યું હતું. કોંગ્રેસે પોરબંદરમાં લલિત વસોયા પર ભરોસો મૂક્યો છે.
જ્યારે અલ્પેશ ઠાકોરની માંગને કારણે ઘોંચમાં પડેલી પાટણ વિધાનસભા બેઠક પર કોંગ્રેસે વરિષ્ઠ નેતા જગદીશ ઠાકોરને ટીકીટ આપી છે. એવું મનાય છે કે અલ્પેશ ઠાકોર અને જગદીશ ઠાકોર વચ્ચે સમાધાન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત કોંગ્રેસે જૂનાગઢથી પૂંજાભાઈ વંશ અને પંચમહાલથી વીકે ખાંટને ટીકીટ આપી છે. જ્યારે બારડોલીમાં તુષાર ચૌધરી અને વલસાડમાં જીતુ ચૌધરીને ટીકીટ આપવામાં આવી છે.કોંગ્રેેસે રાજકોટમાં લલિત કગથરા પર ભરોસો મૂક્યો છે. લલિત કગથરા હાલ ધારાસભ્ય પણ છે.