નિતિન ગડકરીને ફરી એકવાર નાગપુરથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે અમિત શાહ ગાંધીનગરથી લડવાના છે, જે સીટ પર અત્યાર સુધી લાલકૃષ્ણ અડવાણી લડતા હતા, પરંતુ આ વખતે તેમની ટિકિટ કાપી નાખવામાં આવી છે. અડવાણીને ટિકિટ ન આપતા ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યા હતા.
નિતિન ગડકરીએ કહ્યું હતું કે, અડવાણી અમારા માર્ગદર્શક હતા અને છે. આગળ પણ માર્ગદર્શન આપશે. અમારી પાર્ટીના તેઓ સિનિયર નેતા છે. પાર્ટી તેમનું સન્માન કરે છે. પરંતુ તેમની ઉંમર 90 વર્ષ થઇ ગઇ છે. એવામાં પાર્ટીએ બીજા લોકોને તક આપી છે. અમારા અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડશે, પરંતુ અડવાણીજીનું સન્માન આખી પાર્ટી કરે છે.
ભાજપે સત્તાવાર રીતે આ કારણ નિતિન ગડકરી પાસે કરાવ્યું છે. રાષ્ટ્રિય પ્રમુખ અમિત શાહ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અડવાણીને ટિકિટ કેમ ન આપવામાં આવી તેની જાહેરાત કરી નથી. ખરેખર તો આવી મહત્વની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરવાની જરૂર હતી.
પણ ખરેખર કારણ શું છે. મુંબઈ એટેક થયો ત્યારે આઈબી પાસે તમામ વિગતો હતી. જે વિગતો છૂપાવવામાં આવી હતી. જો તે વિગતો મહારાષ્ટ્ર પોલીસને અને નેવીને આપવામાં આવી હોત તો તે બોટને દરિયામાં જ ફૂંકી મારવામાં આવી હોત. અને કસાબ સાથે પાકિસ્તાનના ત્રાસવાદીઓએ હુમલો કર્યો તે હુમલો મુંબઈ પર થયો ન હોત. તેથી અડવાણીએ એવી માંગ કરી હતી તે આઈબી પાસે માહિતી હતી છતાં તેણે કેમ મહારાષ્ટ્ર સરકારને આપી નહીં. તેની તપાસ કરો. અડવાણીએ એક વખત નહીં પણ ત્રણ વખત આ તપાસ કરવાની માંગણી કરી હતી. તેથી અડવાણી પર તે અંગે ભારે દબાણ હતું. પછી તેઓ મૌન બની ગયા હતા. મુંબઈ એટેકમાં કરકરેનું મોત થયું ન હતું પણ મુંબઈ પોલીસ દ્વારા તેની હત્યા કરવામાં આવી હતી એમ મહારાષ્ટ્રના પૂર્વ ડીજી એસ એમ મુસરીફે કહ્યું હતું. અજમલ કસાબ 2016માં નેપાળમાં પકડાયો હતો. જેનો કેસ નેપાળમાં ચાલી રહ્યો હતો. કરકરેની હત્યા કરાવનારને એ વાત પસંદ ન હતી કે અડવણીએ જે તપાસની માંગણી કરે છે તેમાં તેમના જ લોકો ફસાઈ શકે તેમ હતા. એવું પણ મસરીફે જાહેર કર્યું હતું.
અડવાણીને ટિકિટ ન આપવાનું રાજકીય કારણ તો એ સ્પષ્ટ છે કે, હવે ભાજપને વર્ષો સુધી કામ કરનારા ભાજપ ભક્ત કાર્યકરોની નહીં પણ મોદી ભક્ત કાર્યકરોની જરૂર છે. અડવાણી મોદી ભક્ત ન હતા. તે ભાજપ ભક્ત હતા. તેથી હવે ભાજપના નેતાઓ અમિત શાહ અને નરેન્દ્ર મોદીને તેની કોઈ જરૂર નથી. અડવાણીને ટિકિટ આપવામાં આવી નથી. અડવાણીતો ભાજપના આવા કાર્યકરોના એક પ્રતિક માત્ર છે આવા લાખો કાર્યકરો એવા છે કે જે ભાજપ ભક્ત છે અને તેમને બાજુ પર મૂકી દેવામાં આવ્યા છે. 2019ની ટિકિટ ફાળવણીમાં સમગ્ર દેશમાં આવું થયું છે.
પાર્ટીના કાર્યકર્તાની હવે જરૂર નથી. સિદ્ધાંતનિષ્ઠ કાર્યકર્તાની જરૂર નથી. પાર્ટી નિષ્ઠા નહીં મોદી નીષ્ઠા જોઈએ. આવા લોકો હવે ભાજપમાં આગળ આવી રહ્યાં છે. આવું ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર દેશમાં થયું છે. અડવાણી જેવી પ્રક્રિયા સમગ્ર દેશમાં જોવા મળી રહી છે. ઈન્દિરા ગાંધીએ પણ પક્ષ પર પોતાનું પ્રભુત્વ ઊભું કરવા માટે કોંગ્રેસના જૂનાકાર્યકર્તાઓને કોરાણે મૂકી દીધા હતા. તે કામ હવે મોદી અને અમિત શાહ કરી રહ્યાં છે.
અમિતની જગ્યા કરી લેવામાં આવી છે. તેઓ સંસદમાં ચૂંટાશે અને હવે તેઓ લો એન્ડ ઓર્ડર વિભાગમાં સત્તાવાર રીતે બેસશે. અમિત શાહ માટે જગ્યા બનાવવી પડે તેમ હતી. મોદીનો મંત્ર છે કે, વરિષ્ઠ કોઈ ન જોઈએ. પક્ષમાં જેટલાં વરિષ્ઠ હતા તે બધાને એક પછી એક ખતમ કરી દીધા છે. 25-30 વર્ષથી કામ કરતાં હતા તેમને કોઈ સ્થાન આપવામાં આવતું નથી. આવી બધાની દુર્દશા કરી છે.