ભાજપ કોંગ્રેસના કહેવાતા મહાગઠબંધનને તોડવામાં સફળ ??
આખરે ગુજરાત વિધાનસભાની ચુંટણીની તારીખ જાહેર થઇ ગઈ છે. અને તેને પગલે રાજ્યમાં આચારસંહિતા લાગુ થઇ ચુકી છે. જેના કારણે રાજ્ય સરકાર કે ઇવન કેન્દ્ર સરકાર હવે કોઈ પણ પ્રકારની પ્રજાલક્ષી જાહેરાત નહિ કરી શકે. જો કે, કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપની જ સરકાર હોવાથી ભાજપે ચુંટણીલક્ષી અનેક જાહેરાતો છેલ્લી ઘડી સુધી કરી લોકોને રીજવવાની કોશિશ કરી છે. પરંતુ કોંગ્રેસ અને પાટીદાર, ઓબીસી નેતા, તેમજ દલિત નેતાના મહાગઠબંધનના લીધે ભાજપની સીટોમાં કેટલું ગાબડું પડશે તે હાલ કહી શકાય નહિ. કેમ કે, ચુંટણીમાં છેલ્લી ઘડીએ ચિત્ર બદલાઈ જતું હોય છે. પબ્લીકની નાડ એમ આસાનીથી પારખી શકાય એમ નથી. પરંતુ હાલ ઉપસતા જતા ચિત્ર મુજબ કોંગ્રેસ સરકાર બનાવે કે ના બનાવે પરંતું ભાજપની લીડ ઘટાડી શકે.
ખેર, આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર , ગુજરાત વિધાનસભા ચૂટણીમાં ભાજપ કોંગ્રેસના સંભવિત મહાગઠબંધનનો જવાબ પરમ્પરાગત ગુજરાતી અસ્મિતાથી આપશે. પાર્ટીની રણનીતિ ચુંટણી પ્રચારને ગુજરાતી અસ્મિતા બનામ ગુજરાત વિરોધનું રૂપ આપવાની છે. અને આ રણનીતિ મુજબ પાર્ટી મોદીના રાજ્યથી પ્રધાનમંત્રી બનવાથી ગુજરાતની સમગ્ર દેશમાં વધેલ પ્રીતિષ્ઠા , આ કારણથી રાજ્યમાં વધેલ વિકાસના અવસર જેવી બાબતોની સાથે સાથે કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતા છતી કરવા કોંગ્રેસ ઉપાધ્યક્ષની એ સીડીની શોધ ચલાવી રહી છે કે, જેમાં પ્રધાનમંત્રી પર સમગ્ર દેશના બદલે ગુજરાત પર ખાસ ધ્યાન આપવાના આરોપ લગાવાયા છે.
તેમજ તે સિવાય પાર્ટીએ હાલ માં જ અલગ અલગ અંદોલન દ્વારા વિભિન્ન વર્ગોના હીરો બનીને ઉભરેલ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાની ના નજદીકી સાથીઓને સાધીને આંદોલન નબળું પડવાની રણનીતિ પણ અપનાવી છે. તેવામાં તે સમાચાર પણ પ્રાપ્ત થઇ રહ્યા છે કે, કોંગ્રેસ ઉપાધ્યક્ષ સમક્ષ હાલમાં જ પાર્ટીમાં સામેલ થયેલા ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરને જાટકો આપતા ઠાકોર સેનાના એક પ્રમુખ નેતા સહીત ૨૦૦ જેટલા લોકોએ તેમની સાથે છેડો ફાડી ભાજપમાં સામેલ થયા છે.
અરવલ્લી જીલ્લાના બાયડમાં નવા વર્ષે ભાજપ દ્વારા યોજોએલ એક સ્નેહમિલન સમારંભમાં જીલ્લા મંત્રી ચતુરસિંહ સાથે ૨૦૦ લોકો ભાજપમાં જોડાયા હતા. તેમજ મધ્ય ગુજરાતના બાલાસિનોર સહીત કેટલાય સ્થળોએ અલ્પેશ પટેલના પુતળા પણ બળવામાં આવ્યા. આ સિવાય હાર્દિક સામે પણ પાટીદારના કેટલાક ખેમામાં રોષ જોવા મળી રહ્યો છે અને એના પણ પુતળા બાળવામાં આવ્યા છે. જો કે, દલિતો દ્વારા જીગ્નેશ મેવાનીનો ખાસ વિરોધ થયાના અહેવાલો નથી. અને એનું સીધું કારણ છે કે દલિતો ઉના કાંડને અને એના અપમાનને ભૂલી શક્યા નથી. ત્યારે હવે આ નેતાઓ તરફના લોકોના રોષ પાછળ કોઈ છે કે પબ્લિક જ છે એ તો સમય જ કહેશે.
વિશેષમાં કહેવાય છે કે, અત્યાર સુધી ભાજપ ઈચ્છતી હતી કે, આ ત્રણેય યુવા નેતા, આપ અને શંકરસિંહ વાઘેલા એમ ત્રણેય મળી અલગ અલગ પ્રકારે ચુંટણી લડે તો મુકાબલો બહુકોણીય બને અને પાર્ટીને મતોના વિભાજન નો લાભ મળે. જો કે, હજુ શંકરસિહનો જનવિકલ્પ મોરચો ખાસ કઈ કાઠું કાઢી શક્યો નથી. એમણે જનવિકલ્પના પ્રચાર માટે વસંત વગડે લોકોને ફેસ ટુ ફેસ મળવા નિમંત્રણ આપ્યું હતું પરંતુ પબ્લીકે ખાસ રસ દાખવ્યો નથી. ત્યારે આગામી દિવસોમાં હજુ આ ચિત્રોમાં કેટલો બદલાવ આવે છે તે જોવાનું લોકો માટે રસપ્રદ થઇ રહેશે…