હું મારી 6 દિવસની યાત્રાના અનુભવ પરથી કહી શકું છું કે હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવાની છે અને ભાજપનું જવાનું નિશ્ચિત છેઃ મનીષ સિસોદિયા
મેં અને ઇસુદાનભાઈ ગઢવીજીએ ઉત્તર ગુજરાતના ઘણાં બધાં જિલ્લાઓનો પ્રવાસ કર્યો, આખી યાત્રાનો ખૂબ જ સારો અનુભવ રહ્યોઃ મનીષ સિસોદિયા
અમે 14 વિધાનસભા ક્ષેત્રમાં મોટી-મોટી 14 સભાઓ કરી, 6 રોડ શો કર્યા અને બે ડઝનથી વધારે શેરી સભાઓ પણ કરી: મનીષ સિસોદિયા
ડિસેમ્બરમાં AAPની સરકાર બન્યા પછી ગુજરાતની તમામ સમસ્યાઓ પર કામ શરૂ થશેઃ મનીષ સિસોદિયા
ઘણા બધાં લોકોએ મને કહ્યું છે કે કેજરીવાલજીની ડિક્શનરીમાં ‘અશક્ય’ શબ્દ નથીઃ મનીષ સિસોદિયા
આમ આદમી પાર્ટીનું કામ લોકોને હવે દેખાઇ કહ્યું છેઃ મનીષ સિસોદિયા
લોકો કહે છે કે, તમે આવશો તો શાળાઓ સારી થશે, હોસ્પિટલઓ સારી થશે, વીજળી સસ્તી થઇ જશે, ઝીરો બિલ આવવા લાગશેઃ મનીષ સિસોદિયા
ગુજરાતની જનતાને લાગી રહ્યું છે કે મુદ્દા પર કામ કરનારી પાર્ટી આવી ગઈ છે, હવે એક મોકો AAPને આપવો પડશે.: મનીષ સિસોદિયા
પરિવર્તન માટે અમે પણ રાહ જોઈ રહ્યા છીએ, જનતા પણ રાહ જોઈ રહી છેઃ મનીષ સિસોદિયા
સિદ્ધપુરમાં એક હોસ્પિટલને 60 થી 70 કરોડનાં ખર્ચમાં 7 વર્ષ પહેલાં બનાવવામાં હતી, પરંતુ તે બિલ્ડીંગ આજે પણ કચરાપેટી થઇને પડી છેઃ મનીષ સિસોદિયા
ઉત્તર ગુજરાતમાં મેં જાતે અનુભવીને આવ્યો છું કે એક સાથે અને વારંવાર સંભળાઇ રહ્યું છે ‘પરિવર્તન.’: મનીષ સિસોદિયા*લ
દિયોદરમાં જ્યારે ખબર પડી કે ‘આપ’ની સભા અને રોડ શો થવાનો છે તો આ લોકોએ સરકારી શાળાને બહારથી રંગાવી દીધીઃ મનીષ સિસોદિયા
પાલનપુરમાં ભાજપના લોકોએ કહ્યું કે અમને સરકારી હોસ્પિટલ કેવી રીતે ચલાવવી તે નથી આવડતું એટલા માટે તેને પ્રાઇવેટ બનાવી દીધીઃ મનીષ સિસોદિયા
ઉત્તર ગુજરાતમાં પાણીની મોટી સમસ્યા છે, લોકોને પાણી નથી મળતું, કેનાલ તૂટવાથી પણ લોકો ખૂબ દુઃખી છેઃ મનીષ સિસોદિયા
ગૌશાળાનાં સંચાલકો દુ:ખી છે કારણ કે ગુજરાત સરકારે 500 કરોડનું બજેટ જાહેર કર્યું હતું, તેને લાગુ કર્યું નથી: મનીષ સિસોદિયા
ગુજરાતના લોકોને લાગે છે કે મુદ્દા પર કામ કરતી પાર્ટી આવી ગઈ છે, હવે AAPને તક આપવી પડશેઃ મનીષ સિસોદિયા
અમદાવાદ/ગુજરાત
મેં અને ઇસુદાનભાઈ ગઢવીજીએ ઉત્તર ગુજરાતના ઘણાં બધાં જિલ્લાઓનો પ્રવાસ કર્યો, આખી યાત્રાનો ખૂબ જ સારો અનુભવ રહ્યોઃ મનીષ સિસોદિયા
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાજીએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર મીડિયાને સંબોધતા કહ્યું કે, હું છેલ્લા 6 દિવસથી ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લાના પ્રવાસે હતો. મેં અને ઈસુદાનભાઈ ગઢવીજીએ ઉત્તર ગુજરાતના ઘણાં બધાં જિલ્લાઓની મુલાકાત લીધી, આખી યાત્રાનો ખૂબ જ સારો અનુભવ રહ્યો. અમે 14 વિધાનસભા મતવિસ્તારોમાં મોટી-મોટી 14 સભાઓ કરી, 6 રોડ શો અને બે ડઝનથી વધારે શેરી સભાઓ કરી. શહેરોમાં, કસ્બાઓમાં ગયા, ગામડાઓમાં ગયા, જુદા-જુદા ક્ષેત્રના કર્મચારીઓ અમને મળવા આવ્યા. જેઓ અલગ-અલગ મુદ્દાઓ પર આંદોલનકારીઓ ગુજરાતમાં આંદોલન કરી રહ્યા હતા એમની સાથે મુલાકાત થઇ. સામાજિક કાર્યકરો, મધ્યાહન ભોજનનાં કર્મચારીઓ, શિક્ષકો, ખેડૂતો, યુવાનો, ગાૌપાલકો આ સૌ સાથે મળવાનું બન્યું અને આ સૌ સાથે ખૂબ ચર્ચા થઈ.
ઉત્તર ગુજરાતમાં મેં જાતે અનુભવીને આવ્યો છું કે એક સાથે અને વારંવાર સંભળાઇ રહ્યું છે ‘પરિવર્તન.’: મનીષ સિસોદિયા
ઉત્તર ગુજરાતમાં મેં જાતે અનુભવીને આવ્યો છું કે એક સાથે અને વારંવાર સંભળાઇ રહ્યું છે ‘પરિવર્તન.’ બસ હવે તો સંપૂર્ણં પણે પરિવર્તન જોઇએ. હવે તો હદ થઈ ગઈ, હવે બદલવું પડશે, તમે લોકો આવો. બસ આ જ વાતો દરેક જગ્યાએથી સાંભળવા મળી રહી છે. ગઈકાલે એક રેસ્ટોરન્ટમાં એક પતિ-પત્ની આવ્યા અને તે બોલવા લાગેલા કે ‘કંટાળી ગયા છીએ’, લોકો હવે ભાજપના 27 વર્ષના શાસનથી કંટાળી ગયા છે. દિલ્હીમાં કેજરીવાલજીનું કામ અને પંજાબમાં ભગવંત માનજીનું કામ, આમ આદમી પાર્ટીનું કામ હવે લોકોને દેખાઈ રહ્યું છે. લોકો કહે છે કે, તમે આવશો તો શાળાઓ સારી થશે, હોસ્પિટલઓ સારી થશે, વીજળી સસ્તી થઇ જશે, ઝીરો બિલ આવવા લાગશે. હવે ગુજરાતની જનતાને લાગી રહ્યું છે કે મુદ્દા પર કામ કરનારી પાર્ટી આવી ગઈ છે, હવે એક મોકો AAPને આપવો પડશે.
સિદ્ધપુરમાં એક હોસ્પિટલને 60 થી 70 કરોડનાં ખર્ચમાં 7 વર્ષ પહેલાં બનાવવામાં હતી, પરંતુ તે બિલ્ડીંગ આજે પણ કચરાપેટી થઇને પડી છેઃ મનીષ સિસોદિયા
દરેક જગ્યાએ લોકો ચાહે છે કે હું શાળાઓ જોઉં. લોકોએ મને શાળાઓ બતાવી, હોસ્પિટલ બતાવી. આજે સવારે હું પાલનપુરની યાત્રા પર હતો ત્યારે ત્યાંના લોકો મને હોસ્પિટલ જોવા લઇ ગયા અને કહ્યું કે આ સરકારી હોસ્પિટલ હતું પરંતુ ભાજપના લોકોએ કહ્યું કે અમને સરકારી હોસ્પિટલ ચલાવવા નથી આવડતું, અમે તેને પ્રાઇવેટ કરવાના છીએ. તેમણે સરકારી હોસ્પિટલને પ્રાઇવેટ બનાવી દીધી. ગઈકાલે હું દિયોદર વિધાનસભામાં હતો, ત્યારે લોકોએ મને ત્યાંની શાળા બતાવી, ત્યારે તેમણે મને કહ્યું કે જ્યારે તે લોકોને ખબર પડી કે આમ આદમી પાર્ટીની સભા થવાની છે અને તેમનો રોડ શો થવાનો છે, ત્યારે આ લોકોએ સરકારી શાળાઓને બહારથી રંગાવી દીધી. પણ અંદર બધું જેવું હતું એવું જ છે. આ લોકો જાણે છે કે અમે આદમી પાર્ટી આવશું તો અમે સ્કૂલ અને હોસ્પિટલની વાત કરીશું, એટલા માટે તેમણે પોતાની બધી ખરાબ બાબતોને ઢાંકવાનો પ્રયાસ કર્યો છે. સિદ્ધપુર પાસેની એક હોસ્પિટલમાં લોકો મને લઈ ગયા. આ હોસ્પિટલને 60 થી 70 કરોડનાં ખર્ચમાં 7 વર્ષ પહેલાં બનાવવામાં હતી, પરંતુ તે બિલ્ડીંગ આજે પણ કચરાપેટી થઇને પડી છે. ત્યાં ન તો કોઈ ડૉક્ટર મોકલ્યો કે ન તો કોઈ દવાનું ઘર બનાવ્યું. તે બિલ્ડીંગ ખંડેર બની રહી છે. પ્રજાના પૈસા વપરાયા છે અને તેમને સુવિધાઓ પણ મળી નથી.
હું મારી 6 દિવસની યાત્રાના અનુભવ પરથી કહી શકું છું કે હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવાની છે અને ભાજપનું જવાનું નિશ્ચિત છેઃ મનીષ સિસોદિયા
હવે લોકો સમજી રહ્યા છે કે આજે રાજનીતિમાં શાળાની વાત કરી શકાય છે, હોસ્પિટલની વાત કરી શકાય છે, વીજળીની વાત કરી શકાય છે. એટલા માટે લોકો મને શાળાઓ અને હોસ્પિટલો બતાવવા માટે દરેક જગ્યાએ લઈ જતા હતા. ગુજરાતના લોકો હવે એ વાત કરી રહ્યા છે કે ભાજપે 27 વર્ષમાં કેમ કંઈ કર્યું નથી? તેના બદલે, અરવિંદ કેજરીવાલજીએ 5 વર્ષમાં આટલો વિકાસ કરી દીધો છે. હું મારા 6 દિવસની યાત્રાના અનુભવ પરથી કહી શકું છું કે હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે અને ભાજપ જવાનું નિશ્ચિત છે. ઘણા બધાં લોકોએ મને કહ્યું છે કે કેજરીવાલજીની ડિક્શનરીમાં ‘અશક્ય’ શબ્દ નથી. થઇ તો શકે છે, જો મોકો મળશે તો કરી બતાવીશું, માટે હવે લોકો કેજરીવાલજીને તક આપવા માંગે છે. બસ હવે બહુ જલ્દી ચૂંટણી થશે અને એ પછી જે વિસ્તારોમાં લોકો રાહ જોઈ રહ્યા છે તે વિસ્તારોમાં એનાં પછી કામ થશે. ઉત્તર ગુજરાતમાં પાણીની સૌથ મોટી સમસ્યા છે, લોકોને પાણી નથી મળી રહ્યું, કેનાલ તૂટવાથી લોકો ભારે દુઃખી છે. કેમકે ગુજરાત સરકારે 500 કરોડનું જે બજેટ જાહેર કર્યું હતું તેનો અમલ કર્યો ન હોવાથી ગૌશાળા નાં સંચાલકો દુઃખી છે. કોરોનાની મહામારી પછી તેમને મળતું દાન પણ ઘટી ગયું છે, લમ્પી વાયરસની સમસ્યા પણ ચાલી રહી છે. પરંતુ હવે અમને પણ લોકો પાસેથી પૂરી આશા છે અને લોકોને પણ પૂરી આશા છે કે ડિસેમ્બરમાં AAPની સરકાર બન્યા પછી ગુજરાતની તમામ સમસ્યાઓ પર કામ શરૂ થશે.
પરિવર્તન માટે અમે પણ રાહ જોઈ રહ્યા છીએ, જનતા પણ રાહ જોઈ રહી છેઃ મનીષ સિસોદિયા
જ્યારે મનીષ સિસોદિયાજીને પૂછવામાં આવ્યું કે, ઓક્ટોબરમાં ચૂંટણી જાહેર થઈ જશે, તમારી રણનીતિ શું છે? તે અંગે ટિપ્પણી કરતા તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં ટીમ તૈયાર થઇ ગઇ છે. ગુજરાતની જે લીડરશીપ વાળી ટીમ છે એ તેઓ શ્રેષ્ઠ રીતે પોતાનું કામ કરી રહી છે. અમે પણ ખૂબ મહેનત કરીશું. જનતા પરિવર્તન માટે તૈયાર છે. પરિવર્તન માટે અમે પણ રાહ જોઈ રહ્યા છીએ, જનતા પણ રાહ જોઇ રહી છે.
જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગુજરાતમાં દારૂબંધી લાગુ રહેશેઃ મનીષ સિસોદિયા
મનીષ સિસોદિયાજીને દારૂબંધી વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, માત્ર આજે જ નહીં, અમે અગાઉ પણ ઘણી વખત કહી ચૂક્યા છીએ કે, જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગુજરાતમાં દારૂબંધી લાગુ રહેશે. પરંતુ આ લોકોએ દલાલોને ગેરકાયદે સપ્લાયનાં કોન્ટ્રાક્ટ આપ્યા છે, તેઓને કડકથી અટકાવવામાં આવશે. કારણ કે અમે નથી ઈચ્છતા કે લોકો મરી જાય. આ લોકોએ કાગળ પર તો દારૂ પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ એની સાથે દારૂનું નેટવર્ક પણ ચાલું જ છે.