રાજકોટ પૂર્વના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખાસ્સો વાયરલ થયો છે. વીડિયોમાં રૈયાણી પોતાના શરીર પર લોખંડની સાંકળો ફટકારી રહ્યા છે. વીડિયો વાયરલ થતાં અરવિંદ રૈયાણીએ શા માટે એવું કર્યું તે જાણવા માટે લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.
તો જણાવી દઈએ કે અરવિંદ રૈયાણીએ શા માટે આવું કર્યું. ખરેખર અરવિંદ રૈયાણી માતારાણીના જબરદસ્ત ભક્ત છે. પ્રાયશ્ચિત કરવા માટે ભક્તો શ્રધ્ધાળુઓ પોતાના શરીર પર લોખંડની સાંકળ ફટકારે છે.
ભાજપના ઉમેદવાર મોહન કુંડારીયાની લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરવા માટે રૈયાણી રાજકોટના કુવાડવા ગામે ગયા હતા. મોહન કુંડારીયા પણ ભજન-કિર્તનના કાર્યક્રમમાં હાજર હતા. અરવિંદ રૈયાણીને આ અંગે પત્રકારોએ પૂછ્યું તો તેમણે જણાવ્યું કે આ અમારી વર્ષો જૂની ધાર્મિક પરંપરા છે.માતારાણીના દર્શન કરવા આવીએ છીએ ત્યાર આવી રીતે પોતાના શરીર પર ત્રણ વખત લોખંડની સાંકળ મારવામાં આવે છે.
તેમણે કહ્યું કે નવરાત્રી ગઈ છે. નવરત્રીમાં માંડવા ખાતા હોય છે. ત્રણ કોડા પ્રસાદી રૂપે લેતા હોય છે. માતાજી સાથે શ્રદ્ધા જોડાયેલી છે અને દરેક માંડવામાં જઈએ છીએ અને સતત જઈશું.