રીના બ્રહ્મભટ્ટ
સમગ્ર દેશમાં ભાજપનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે. પરંતુ ભાજપની આ શાનદાર ઇંનિંગ્સની શરૂઆત મોદીના ગૃહરાહજય ગુજરાતથી થઇ હતી. અને પછી તો દેશમાં એક્સમય એવો આવ્યો કે, જેમાં લોકો મોદીના આશિક બની ચુક્યા. તો સામે છેડે વિપક્ષ માટે આ યુગ રકાશનો હતો. અને રાહુલ ગાંધીના નેજા હેઠળ કોંગ્રેસ સતત 27 જેટલી ચૂંટણીઓ હારતી રહી.. અને ભાજપ શાનદાર જીત મેળવી દેશની અવ્વલ નંબરની પાર્ટી બનતો રહ્યો. પરંતુ ભાજપને હાલ આ જ રાજ્યમાં કોઈની નજર લાગી હોય એમ તે એક ઇસ્યુ સુલજાવે કે બીજો પડકાર તેના માટે પેદા થઇ જાય છે. જો કે,તેમ છતાં ભાજપ માટે હજુ આશા અમર છે ની જેવા સર્વેના તારણો આવ્યા છે. 2 ચેનલે કરેલા સર્વેમાં ભાજપને જીતવાના દાવા કરાયા છે. જો કે,કોંગ્રેસને પણ ગુજરાતમાં માટે મતો ના ધ્રુવી કરણથી લઈને નારાજ જાતિઓનો સપોર્ટ મળી રહ્યો છે. તેમજ લોકોનું સત્તાવિરોધી વલણ પણ કોંગ્રેસને ફાયદો કરાવી શકે. વધુમાં ભાજપ રાષ્ટ્રીય સમસ્યા માટેના ફેંસલામાં બની શકે કે, લોકોની નજરમાં યોગ્ય પુરવાર થયો હોય પરંતુ સ્થાનિક સમસ્યામાં સ્થનિક લેવલે તેને લોકોની ખફગી જ વહોરી છે.
જેને કારણે ભાજપ માટે રસ્તો કાંટાળો બની ચુક્યો છે. માનો કે ના માનો બલ્કે ભાજપ માટે આજે સ્થિતિ તે છે કે, એને પોતે જ કબૂલવું પડે એમ છે કે, તેઓ ક્યાંક ફેલ પુરવાર થયા છે, તો ક્યાંક લોકો છેતરાયની લાગણી પણ મહેસુસ કરી રહ્યા છે.
ત્યારે કોંગ્રેસ માટે આ બધા જ કારણો તેનો માર્ગ મોકળો કરવાના છે. અને હાલ કોંગ્રેસની રણનીતિ પણ દમદાર લાગી રહી છે. ઓબીસી નેતા એની સાથે જોડાઈ ચુક્યા છે, તો હાર્દિક પટેલ બીજેપીને હરાવવાની કસમ ખાઈ રહ્યા છે. વધુમાં કોંગ્રેસના જે હાર્દિક અને અલ્પેશ સાથે સબંધ છે તેના સિવાયના દલિત મોરચાના જીગ્નેશ મેવાની કે જેઓ દલિત અસ્મિતાના પ્રતીક તરીકે ઉભરી રહ્યો છે અને કોંગ્રેસની સાથે છે. તે જીગ્નેશ મેવાનીના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના આદિવાસી કિસાન સંઘર્ષ મોરચા સાથે પણ સંબંધ છે કે જે દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓને જમીન પર અધિકાર અપાવવા સંઘર્ષરત છે. ત્યારે એક વાત સાફ છે કે, અપર કાસ્ટ સિવાય હાલ તમામ સોશલ ફેક્ટર બીજેપીને વિરુદ્ધ છે.
પરંતુ આટલે થી જ કોંગ્રેસને ફાયદો થશે અને કોંગ્રેસ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ધાર્યા મુજબની જીત મેળવશે એવું માની લેવાય નહિ. કેમ કે, હાર્દિકના પક્ષ અને તેના સાથીઓની માંગણી મુજબ અગર કોંગ્રેસ કોઈપણ વાયદો કે કરાર આ સંગઠનો સાથે કરશે તો એમના માથે મોટું જોખમ ઉભું થઇ શકશે.કેમ કે, બંધારણીય રીતે પણ આ શક્ય નથી. તો બીજી તરફ અન્ય જાતિ પણ આનાથી નારાજ થઇ શકે છે. અને કોઈપણ જાતી એવું નહિ ઈચ્છે કે, એમના કોટામાં ભાગ પડે. અને પાટીદાર આંદોલન બાદ તેના વિરોધમાં જ અલ્પેશ ઠાકોરનો ઉદય થયો હતો. ત્યારે સ્પષ્ટ વાત છે કે, કોઈ પણ સમાજ આ સાંખી નહિ લે. તો વળી પટેલ આમ પણ એમના માટે સબ કોટા નહિ પરંતુ અલગ રીજર્વેર્શન માંગી રહ્યા છે. જે કોઈ પણ રીતે શક્ય નથી રીસર્વેશનને 50 % થી ઓછું રાખવાનું સુપ્રીમનો નિર્દેશ જોતા કોંગ્રેસ ઈચ્છે તો પણ અલગ રિઝર્વશન આપી નહિ શકે..અને આ માટે કોંગ્રેસ દ્વારા તેવી દલીલ કરવામાં આવી રહી છે કે, તામિલનાડુમાં આ સીમાથી વધુ રીસર્વેશન આપવામાં આવ્યું છે. અને હવે કર્ણાટકનાCM સિદ્ધારમૈયા એ કોટને 50 ટકા થી 70 ટકા કરવાનો વાયદો કર્યો છે. તો બીજા રાજ્ય પણ તેને અનુસરી શકે.
એની વે, ત્યારે હવે પટેલો એ જ સમજવું પડશે , કે આ એક લોલીપોપ છે. અને એમ બંધારણ સાથે ચેડાં કરીને લાભ ના ખાટી શકાય નહીતો એમને જ ભવિષ્યમાં ભારે પડી શકે. ત્યારે કોંગ્રેસ માટે પણ આમ કોઈ પણ જાતિને લોલીપોપ આપી મતો અંકે કરવા આસાન નહિ હોય..
તેમજ મોદી જયારે પાર્ટી ની સ્ટ્રેટેજી ઘડી રહ્યા હતા ત્યારે આજના 24 વરહના હાર્દિકનો જન્મ થયો હતો. અને આ સ્ટ્રેટેજીના કારણે જ પાર્ટી પહેલી વાર 1995 માં 121 સીટો સાથે 2/3 મતો સાથે જીતીને આવી હતી.