ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરવા માટે વડાપ્રધાન મોદીએ આજે બનાસકાંઠા ખાતે જાહેરસભાને સંબોધન કર્યું હતું અને ગાંધી પરિવાર પર આક્રમક પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે દિલ્હીવાળાઓએ ગુજરાતને અન્યાય કરવામાં કશું બાકી રાખ્યું ન હતું.જાણે ગુજરાત દેશમાં છે જ નહીં એવી રીતે વર્તાવ કરવામાં આવ્યો હતો. અમિત શાહને જેલમાં નાંખી દીધા હતા. આજે તેમનો આખો પરિવાર જામીન પર છે.
તેમણે કહ્યું કે પાંચ વર્ષ આપ્યા અને આ પરિવારને દરવાજા સુધી પહોંચાડી દીધો છે બીજા પાંચ વર્ષ આપો તો સીધા અંદર થઈ જાય કે નહીં? તેવો પ્રશ્ન તેમણે લોકોને કર્યો હતો. પાંચ-પાંચ પેઢીથી સરકાર ચલાવતા હોય અને તેમને જામીન લેતા કરી દીધા છે.
તેમણે કહ્યું કે રાષ્ટ્રવાદવાળા દેશ ચલાવે કે રાષ્ટ્રદ્રોહ કરનારા લોકો દેશ ચલાવે તેવા લોકોને પસંદ કરવા માટે ચૂંટણી થઈ રહી છે. ટૂકડે-ટૂકડે ગેંગમાં પીએમ કોણ બનશે તે નક્કી કરી શકતી નથી. તેમના અધ્યક્ષ કેવી ભાષા બોલે છે. કોંગ્રેસ આપણા સપુતોના શૌર્ય, વૈજ્ઞાનિકોની ઉપલબ્ધી એમ દરેકનો વિરોધ કરે છે. કોંગ્રેસ અને મિલાટીયાઓ દેશના સૈનિકોને સુરક્ષા કવચ આપ્યું તો એમના ઢકોસલા પત્રમાં કહ્યું છે કે દેશદ્રોહનો કાયદો જ કાઢી નાંખશે. સેના જ્યારે ઓપરેશન કરતી હોય અને પથ્થરબાજો પથ્થર મારે તો એ દેશદ્રોહ કહેવાય કે ન કહેવાય? તિરંગાનું અપમાન કરે એમની સામે કાર્યવાહી કરવા કોંગ્રેસે ઘાતક રસ્તો અપનાવ્યો છે.
તેમણે કહ્યું કે ગાંધીજીની કોંગ્રેસ છે. આઝાદી પહેલાં કોંગ્રેસ ગોળીનો સહારો લેતી હતી તે હવે ગાળીનો સહારો લે છે. ગાળ-ગલોચ રોજનો કાર્યક્રમ બની ગયો છે. ભાજપ માટે આખા દેશમાં જબરદસ્ત લહેર છે.
તેમણે કહ્યું ચોકીદાર ચોર કહી આખા સમાજને ચોર કહે છે. કારણ જામીન પર એ છે. આ ઢકોસલા પત્રમા બીજું પણ કહ્યું કે જામીન પર રહેવા દેવા માટેની જોગવાઈ કરી છે. અત્યારથી જ તૈયારી કરી છે. કોઈ માણસ માથાફરેલો હોય અને રસ્તામાં તમને પૂછો કે આ ભાઈનું ઘર ક્યાં આવ્યું અને એ માણસ કંઈક કરે તો તમને દુખ થાય. જો આ લોકો આવ્યા તો પહેલો નંબર ગુજરાતનો લાગશે. હવે દરીબી હટાવોનો નારો આપે છે. અરે, ભાઈ, તમે હટોને અમે ગરીબી હટાવી દઈશું. જે દિવસે દેશમાં કોંગ્રેસ નહીં હશે તો દેશમાંથી ગરીબી ઉભી પૂંછડીએ ભાગશે.