ભગવંત માનની સરકાર આગામી દિવસોમાં પંજાબના લોકોને સારા સમાચાર આપી શકે છે. પંજાબમાં સરકાર બનાવતા પહેલા આમ આદમી પાર્ટીએ વચન આપ્યું હતું કે તેમની સરકાર 300 યુનિટ સુધીની વીજળી માફ કરશે. હવે આ વિશે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ટૂંક સમયમાં જનતાને કેટલાક સારા સમાચાર જણાવી શકે છે.
ભગવંત માને મંગળવારે કહ્યું કે તેમની સરકાર ટૂંક સમયમાં રાજ્યના લોકોને “ગુડ ન્યૂઝ” આપશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ સંકેતો ઘરોમાં 300 યુનિટ મફત વીજળીની જાહેરાત તરફ ઈશારો કરે છે. તેમણે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સાથે બેઠક પણ કરી છે. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે કે કેમ કે પંજાબમાં વીજળીનું બિલ બે મહિનામાં એકવાર આવે છે.
ਸਾਡੇ ਲੀਡਰ ਅਤੇ ਦਿੱਲੀ ਦੇ CM ਅਰਵਿੰਦ ਕੇਜਰੀਵਾਲ ਜੀ ਨਾਲ਼ ਬਹੁਤ ਵਧੀਆ ਮੀਟਿੰਗ ਹੋਈ। ਬਹੁਤ ਜਲਦ ਪੰਜਾਬ ਦੇ ਲੋਕਾਂ ਨੂੰ ਇੱਕ ਚੰਗੀ ਖ਼ਬਰ ਦੇਵਾਂਗਾ।
हमारे लीडर और दिल्ली के CM अरविंद केजरीवाल जी के साथ बहुत अच्छी मीटिंग हुई। बहुत जल्द पंजाब के लोगों को एक अच्छी ख़बर दूँगा।
— Bhagwant Mann (@BhagwantMann) April 12, 2022
ભગવંત માને પંજાબીમાં ટ્વીટ કર્યું, “દિલ્હીના મુખ્યમંત્રી અને અમારા નેતા અરવિંદ કેજરીવાલ સાથે અદ્ભુત મુલાકાત થઈ. અમે ખૂબ જ જલ્દી પંજાબના લોકોને એક સારા સમાચાર આપીશું.” દરમિયાન, પાર્ટીના પ્રવક્તા માલવિંદર સિંહ કાંગે મીડિયાને કહ્યું કે લોકોને 300 યુનિટ મફત વીજળી આપવા માટે પંજાબ સરકારની બ્લુપ્રિન્ટ લગભગ તૈયાર છે અને આ અંગે જાહેરાત કરવામાં આવશે. ટૂંક સમયમાં કરવામાં આવશે.