નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર સામે નિશાન સાધવાની કોઈ તક ગુમાવી નથી. ભલે તે કોરોના વાયરસ ચેપનો મામલો હોય કે લદાખમાં એલએસી ઉપર ગલવાન ખીણમાં ચીન સાથેની હિંસક અથડામણમાં ભારતીય સૈન્યના જવાનોની શહાદતની ઘટના હોય, રાહુલ ગાંધી દરેક મોરચે મોદી સરકાર પર સવાલ ઉઠાવી રહ્યા છે.
રાહુલ ગાંધીએ હવે ગુરુ પૂર્ણિમા નિમિત્તે કેન્દ્ર સરકારને ઘેરી લીધી છે. કોંગ્રેસના નેતાએ ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવતા ભગવાન ગૌતમ બુદ્ધને કોટ (અવતરણ) કરતાં કહ્યું કે, જે ત્રણ વસ્તુઓ લાંબા સમય સુધી છુપાવી શકતી નથી તે છે સૂર્ય, ચંદ્ર અને સત્ય. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, ‘ત્રણ વસ્તુઓ જે લાંબા સમય સુધી છુપાઈ શકતી નથી – સૂર્ય, ચંદ્ર અને સત્ય- ગૌતમ બુદ્ધ. આપ સૌને ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ.