નવી દિલ્હી : કોંગ્રેસ રાજસ્થાનની લડાઇને જયપુરથી દિલ્હી લઇ જવાની તૈયારી કરી રહી છે. 24 જુલાઈ, શુક્રવારે રાજભવનમાં ગેહલોત જૂથના ધરણા છતાં, જો તેમને લાગે છે કે તેમની માંગને અવગણવામાં આવી રહી છે, તો કોંગ્રેસ દિલ્હી તરફ વળશે. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને તેનું ગ્રુપ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ સમક્ષ અરજ કરશે. આ સાથે ગેહલોત ગ્રુપના ધારાસભ્યો પણ રસ્તા પર ઉતરવાનું વિચારી રહ્યા છે.
તમને જણાવી દઇએ કે, રાજસ્થાન હાઇકોર્ટથી નિરાશા બાદ ગેહલોત જૂથના ધારાસભ્ય રાજભવન પહોંચ્યા છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને તેની છાવણીએ માંગ કરી છે કે, રાજ્યપાલ વિધાનસભાનું સત્ર બોલાવે. રાજ્યપાલ કલરાજ મિશ્રાએ રાજભવન પહોંચેલા ગેહલોત ગ્રુપના ધારાસભ્યો સાથે મુલાકાત પણ કરી હતી.
કલરાજ મિશ્રાએ કહ્યું કે, અમે તમારી માંગણી સાંભળી છે. આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. બંધારણીય સંસ્થાઓએ સંઘર્ષ ન કરવો જોઇએ. કલરાજ મિશ્રાએ કહ્યું કે ચર્ચા માટે સમયની જરૂર છે.