ભાજપના મહિલા અગ્રણી રેશ્મા પટેલ ફરી વાર ભાજપના આંતરિક રાજકારણ અંગે સ્ફોટક વાત કરી છે. રેશ્મા પટેલે સોશિયલ મીડિયામાં વીડિયો દ્વારા જણાવ્યું છે કે ગુજરાતમાં રાજકારણમાં મોટો ભૂકંપ આવી શકે એમ છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે ગોઠવેલા ચોકઠાંના કારણે ગુજરાતમાં સ્થિતિ તોડફોડની રાજનીતિ સુધી પહોંચી ગઈ છે. રેશ્મા પટેલે તોડ-જોડની રાજનીતિ અંગે આ વખતે અમિત શાહને નિશાને લીધા છે.
છેલ્લા બે દિવસથી ગુજરાતમાં લોકસભાના રાજકીય સમીકરણો જોઈ રહ્યા છે તેમાં ભારતીય જનતા પાર્ટી જે કૂટનીતિ અજમાવી રહી છે અને જે ચોકઠાં ગોઠવ્યા છે તેમાં તે ક્યાંકને ક્યાંક દાવ મારી જશે, એ સો ટકાની વાત છે. ગુજરાત આંદોલનની ભૂમિ બની ચૂક્યું છે પ્રજામાં અસંતોષ છે તને લઈ ચોકઠાં ગોઠવાયા છે.
અમિત શાહ પર નિશાન સાધતા રેશ્મા પટેલે કહ્યું કે અમિત શાહે ગોઠવેલા ચોકઠાં છે. તાનાશાહોએ ગોઠવેલા ચોકઠાંથી ગુજરાતની રાજનીતિમાં મોટો ભૂકંપ સર્જાયા વગર રહેવાનો નથી. જે માહિતી મળી રહી છે તેમાં 25-30 ટકા આમ તેમ થઈ શકે છે પરંતુ બાકીનું બધું જ સાચું ઠરશે એવું લાગી રહ્યું છે.