લોકસભા ચૂંટણી માટે બીજા તબક્કા માટે આજે થયેલા વોટીંગમાં સાંજે 5.40 સુધી સરેરાશ 61.12 ટકા વોટીંગ નોંધાયું છે. ચૂંટણી પંચના રિપોર્ટ પ્રમાણે આસામમાં 73.32 ટકા, બિહારમાં 58.14 ટકા, છત્તીસગઢમાં 68.70 ટકા, જમ્મૂ-કાશ્મીરમાં 43.37 ટકા, કર્ણાટકમાં 61.80 ટકા, મહારાષ્ટ્રમાં 55.37 ટકા, મણિપુરમાં 74.69 ટકા, ઓરિસ્સાં 57.41 ટકા, પોંડિચેરીમાં 72.40 ટકા, તામિલનાડુમાં 61.52 ટકા, યુપીમાં 58.12 ટકા અને પશ્ચિમ બંગાળમાં 75.27 ટકા વોટીંગ થયું છે.
બીજા તબક્કામાં આસામ, બિહાર, છત્તીસગઢ, જમ્મૂ-કાશ્મીર, કર્ણાટક, મહારાષ્ટ્ર, મણિપુર, ઓરિસ્સા, પોંડિચેરી, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં મતદાન થયું છે. ઈવીએમ અને વીવીપેટમાં ગરબડ થવાના કારણે ઓરિસ્સાના ચાર મત કેન્દ્રોમાં ફરીથી મતદાન કરવાનો ચૂંટણી પંચે હુકમ કર્યો છે. ઓરિસ્સાના મુખ્ય ચૂંટણી અધિકારી સુરેન્દ્ર કુમારે સુંદરગઢના બૂથ નંબર 213, બોનાઈના બૂથ નંબર 129 અને ડાસપલ્લાના બૂથ નંબર 210 તેમજ 222 પર ફરીથી મતદાન કરવાનો આદેશ આપ્યો છે.
પ્રથમ તબક્કાના મતદાનની વાત કરીએ તો યુપીમાં 64 ટકા, ઉત્તરાખંડમાં 57, બિહારમાં 50, આંધ્રમાં 56, તેલંગાણામાં 60, જમ્મૂ-કાશ્મીરમાં 54, છત્તીસગઢમાં 56, પ.બંગાળમાં 81, આસામમાં 68, સિક્કીમમાં 69, મિઝોરમમાં 60, નાગાલેન્ડમાં 78, મણિપુરમાં 78.2, ત્રિપુરા અને આંદામાન નિકોબારમાં 76 ટકા વોટીંગ થયું હતું.