પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ પંજાબની સત્તાપક્ષથી ઉતરી વિપક્ષમાં બેઠેલી કોંગ્રેસ સરકારે સામે બાયો ચડાવી છે જેમાં પંજાબમાં માફિયાઓને લઇ કોંગ્રેસ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે પંજાબમાં કોંગ્રેસના પ્રધાન અમરિંદર રાજા વડિંગે આપના સુપ્રિમો કેજરીવાલ પર લાંચ લેવાના સનસનીખેજ આરોપ લગાવ્યા છે જેમાં અરવિંદ કેજરીવાલને હપ્તા મળતો હોવાની વાત તેમણે કરી છે માફિયાઓના નામ સાર્વજનિક ન કરીને અથવા તેમની સામે પગલાં ન લઈને તમે તમારી પોતાની મિલીભગત અથવા મૌન સમર્થન આપી રહ્યા છે રાજા વંડિગે કેજરીવાલને ચેતવણી ઉચ્ચારતા પૂ્છ્યો કે તમે માફિયાઓના નામ સાર્વજનિક કરશે ?
આ બાબત અંગે આમ આદમી પાર્ટીની સરકારે જણાવ્યુ છે કે અમે કાર્યવાહી કરી રહ્યા છે માફિયાઓની ઓળખ કરી તેમની ધરપકડ કરવામાં આવી રહી છે રાતોરાત માફિયાઓ થોડી ખત્મ થશે
પંજાબમાં આપની સરકાર બનતાની સાથે કેજરીવાલે કહ્યુ કે જયારે તેમની સરકાર બની ત્યારે પંજાબને લૂંટી રહેલા માફિયાઓ તેમના ઓફર કરવા આવવા લાગ્યા મે ભગવંત માન ,મંત્રીઓ , ધારાસભ્ય સાથે સંપર્ક કર્યુ માફિયાઓ પૂછ્યુ કે તમારી સરકારમાં શું સિસ્ટમ ચાલે છે કોણે પૈસા આપવાના હોય છે ? કેવી રીતે આપવાના હોય છે ?શું કરવુ પડે છે જેના જવાબમાં અરવિંદ કેજરીવાલે કહ્યુ બધાને ઇમાનદારીથી કામ કરવું પડશે નહીતર જેલમાં જવા તૈયાર રહો કેજરીવાલે એક મહિના અંદર માફિયાઓ અંત લાવવાનું જણાવ્યુ હતુ
પંજાબમાં ચૂંટણી દરમિયાન પણ માફિયાઓને લઇ ઘણુ રાજકારણ થયુ હતુ જેમાં ખનન માફિયાઓ ડ્રગ્સ માફિયાઓના નામે જે તે સરકાર અને વિપક્ષે વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ હતી પંજાબ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુએ માફિયાઓનો ખાતમો બોલાવા પંજાબ મોડલ તૈયાર કર્યુ હતુ અરવિંદ કેજરીવાલે ચૂંટણી દરમિયાન માફિયારાજ અંત લાવવાનો પંજાબના લોકોને વચન આપ્યું હતું