દેશના આગામી રાષ્ટ્રપતિ કોણ હશે તે અંગે રાજકારણ ગરમાયું છે. વિરોધ પક્ષોએ યશવંત સિન્હાને રાષ્ટ્રપતિ પદ માટે સંયુક્ત ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. તે જ સમયે ભાજપે આદિવાસી સમુદાયમાંથી દ્રૌપદી મુર્મુને ઉમેદવાર બનાવ્યા છે. શિવસેના અને અન્ય ઘણી પાર્ટીઓએ દ્રૌપદી મુર્મુને સમર્થન જાહેર કર્યું છે. આ ક્રમમાં બાબાસાહેબ આંબેડકરના પૌત્ર અને વંચિત બહુજન અઘાડીના પ્રમુખ પ્રકાશ આંબેડકરે યશવંત સિન્હાને રાષ્ટ્રપતિ પદની રેસમાંથી ખસી જવાની માંગ કરી છે.
Requesting Mr. Yeshwant Sinha to withdraw from the Presidential race because many Scheduled Caste and Scheduled Tribe members from across the parties are joining to vote in favour of Madam Draupadi Murmu. @YashwantSinha
— Prakash Ambedkar (@Prksh_Ambedkar) July 16, 2022
રાષ્ટ્રપતિની ચૂંટણીના સંદર્ભમાં, પ્રકાશ આંબેડકરે ટ્વિટ કર્યું કે ‘યશવંત સિંહાને રાષ્ટ્રપતિની રેસમાંથી ખસી જવાની વિનંતી, કારણ કે પક્ષોના ઘણા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સભ્યોએ દ્રૌપદી મુર્મુની તરફેણમાં મતદાન કરવાનું મન બનાવી લીધું છે.’