વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે જેને લઇ તમામ રાજ્કીય પક્ષો એકશન મોડમાં જોવા મળી રહ્યા છે. ચૂંટણી ટાણે કોંગ્રેસમાં આતંરિક કકળાટ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ હાઇકમાન્ડથી નારાજ ચાલી રહેલા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અવાર-નવાર પાર્ટી વિરોધી નિવેદન આપી રહ્યા છે. જેને લઇ કોંગ્રેસના સિનિયર નેતાઓમાં પણ હાર્દિક પત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે.હાર્દિક પટેલ પર નિવેદન આપતા કોંગ્રેસના સાસંદ અને સિનિયર નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યુ કે કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે, કોંગ્રેસ એક પરિવાર છે.નાનમાં નાના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં પોતાની સમસ્યાઓ મૂકવાની સ્વતંત્ર છે. તો બીજી તરફ શક્તિ સિંહે ભાજપને આડેહાથ લેતા જણાવ્યુ હતુ કે ભાજપમાં કોઇ પણ હીરો માંથી ઝીરો બની શકે છે તેમણે કોંગ્રેસની ઉદયપુરમાં મળેલી નવસંકલ્પ શિબિરનું ઉલ્લેખ કરતા જણાવ્યુ હતુ કે કોંગ્રેસની મળેવી શિબિરમાં કોંગ્રેસ સત્તાની ચિંતા નહી પરંતુ રાષ્ટ્રીયના હિત સતત ચિંતા અને દેશના લોકોને સમસ્યા નિકાલ માટે ગંભીર ચર્ચાઓ થઇ હતી.
Saturday, May 18