નીતિગત દરોને એક વાર ફરીથી નથી બદલવામાં આવ્યા રેપો રેટ એક વાર ફરી 4 ટકા રહેશે યથાવત ઓમિક્રોનના સંક્રમણના ચાલતા આઉટલુક નકારાત્મક જોવા મળી રહ્યો છે ડિસેમ્બર મહિનાની બેઠકમાં નીતિગત દરોને એક વાર ફરીથી નથી બદલવામાં આવ્યા. ઓમિક્રોનની ચિંતાની વચ્ચે RBIની મૌદ્રિક નીતિ સમીક્ષા સમિતિએ બેંચમાર્ક રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય કર્યો છે. રેપો રેટ એક વાર ફરી 4 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. રેપો રેટને 4 ટકા અને રિવર્સ રેપો રેટને 3.35 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રેપો રેટ તે દરોને કહેવામાં આવે છે
જેના પર RBI બેંકોને શોર્ટ ટર્મ ઉધાર આપે છે અને રિવર્સ રેપો રેટ તે દરોને કહે છે જેના પર બે બેંકો પાસેથી ઉધાર લે છે. ઓમિક્રોનના સંક્રમણના ચાલતા આઉટલુક નકારાત્મક જોવા મળી રહ્યો છે RBI ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું કે સમિતિને કોરોનાની વચ્ચે અર્થવ્યવસ્થાને સપોર્ટ આપવા માટે પોતાના Accommodative Stance ને અપનાવી રાખવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે ઈકોનોમિક રિકવર તેજ થઈ રહી છે. પરંતુ આ એટલી મજબૂત નથી કે પોતાના ભાવ પર સતત તેજી જારી રાખી શકે. ગવર્નરે એમ પણ કહ્યું કે ઓમિક્રોનના સંક્રમણના ચાલતા આઉટલુક નકારાત્મક જોવા મળી રહ્યો વિશ્લેષકોનુ માનવુ હતુ કે આ વખતે આરબીઆઈ નીતિગત દરોમાં કોઈ ફેરફાર નહીં કરે કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના ચાલતા દેશમાં અનિશ્ચતતાની સ્થિતિ પેદા થવાથી બજારમાં વિશ્લેષકોનુ માનવુ હતુ કે આ વખતે આરબીઆઈ નીતિગત દરોમાં કોઈ ફેરફાર નહીં કરે રિઝર્વ બેંક ની મોનેટરી પોલિસી કમિટી MPC એ સતત 10મી બેઠકમાં પોલિસી રેટ સ્થિર રાખ્યા છે. આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે દોઢ વર્ષથી વધુ સમય સ્થિર રહ્યા બાદ વ્યાજદરમાં વધારો કરવાનું દબાણ હતું. બીજી તરફ, કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટે ફરીથી અર્થવ્યવસ્થાના પડકારો વધાર્યા છે. MPCએ રેપો રેટ ચાર ટકાના દરે રાખ્યો છે. રિવર્સ રેપો રેટ પણ 3.35 ટકાના જૂના સ્તરે યથાવત છે. રિઝર્વ બેંકે અર્થતંત્રને ટેકો આપવા માટે એકોમોડેટીવ વલણ અપનાવવાનું નક્કી કર્યું છે.