ભાજપે મંગળવારે રાજસ્થાન સરકાર પર અનેક આરોપો લગાવ્યા હતા. ભાજપે કહ્યું કે રાજસ્થાનના લોકો કાયદો અને વ્યવસ્થાની ખરાબ સ્થિતિથી કંટાળી ગયા છે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જીત અપાવવા માટે તૈયાર છે.
આ સાથે જ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ રાજસ્થાન સરકારના ‘મિશન-2030’ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે મુખ્યમંત્રી અશોક ગેહલોતનું વિઝન ‘ધુંધળું’ છે. સુધાંશુ ત્રિવેદી જયપુરમાં એક વર્કશોપને સંબોધિત કરી રહ્યા હતા.