જન્મેલા બાળક માટે માતાનું દૂધ અમૃત સમાન ગણાય છે, પરંતુ જન્મેલા બાળક માટે માતાનું દૂધ ઝેર બની જાય તો કોને દોષ દેવો… આવી એક ઘટના રાજકોટમાં એક દંપતિના ઘરે બની છે. રાજકોટના એક દંપતિને ત્યાં બાળકના જન્મ થયાના 5-5 મહિના હસતો, રમતો પરિવારના માથે જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ ઉદ્દભવી હતી. કહેવાય છે કે કોઇ પણ દંપતિ હોય તેમને ખોળાનો ખૂંદનાર મળી જાય ત્યારે તેમની ખુશીનો બેવડાઇ જાય છે, પરંતુ તે જ ખોળાનો ખૂંદનારના કારણે આવેલી ખુશીઓ એકાએક ચાલી જાય ત્યારે કેવી સ્થિતિ હોય તે તો બાળકની માતા-પિતા જ જાણી શકે…
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા બાદ ફરજ પર રહેલા ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યું હતું. ડોક્ટરોએ 5 મહિનાના પ્રિન્સને મૃત જાહેર કરતા માતા-પિતાના માથે આભ ફાટી નીકળ્યું હતું. તેમના મનમાં અનેક સવાલો હતો. તેમનો દિકરો નહોતો બિમાર કે આપી નહોતી કોઇ રસી તો તેનું અકાળે મોત કેવી રીતે થયું.
માતાની આંખે આંસુ સૂકાતા નહોતા. ત્યારબાદ પ્રિન્સનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ કંઇક અલગ કહાની જણાવતો હતો. પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં પ્રિન્સનું મોત માતાના દૂધના કારણે થયું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોતાના પુત્રના મૃત્યુનું કારણ પોતાનું જ દૂધ છે તે હકીકતથી માતાને બેખબર રખાઈ હોવા છતાં માતા આઘાતમાંથી હજુ બહાર આવી નથી.
આ ઘટનામાં મનપાના અધિકારીએ જણાવ્યું હતું કે, રાત્રે બાળકની માતા બાળકને સ્તનપાન કરાવી રહી હતી. તે સમયે બાળક અને માતા ભર ઉંઘમાં હતા, ત્યારે માતા ઊંઘમાં જ પુત્ર પર પડખું ફરી ગઇ હતી. આ સમયે સ્તનપાન ચાલુ જ હતું જેથી દૂધ બાળકના મોંમાં આવતું જ રહ્યું. બાળક દબાઇ જતાં શ્વાસ લેવા ગયું ત્યાં આ દૂધ શ્વાસનળીમાં જતું રહ્યું અને તે ફેફસાંમાં ભરાઈ જતા બાળકનું હૃદય અને ફેફસાં બંને બંધ પડી જતા ઊંઘમાં જ તેનો જીવ જતો રહ્યો હતો.
પ્રિન્સના મોતના સમાચારના કારણે માતા હજુ આઘાતમાં છે હજુ તેને મોતનું કારણ ખબર નથી જ્યારે તેને જાણ થશે કે તેના વહાલસોયા પુત્રનાં મોતનું કારણ તેનું દૂધ છે તો કેવો વજ્રઘાત માતા પર થશે તેનો અંદાજ કાઢવો પણ શક્ય નથી.