ગુજરાતમાં માવો કે મસાલાને કારણે અનેક લોકો કેન્સરનાં કારણે મોત નિપજ્યા છે. પણ આજે એક એવો કિસ્સો બન્યો છે કે જેમાં માવાને કારણે માવો ખાનાર નહીં પણ અન્ય કોઈ વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વાત છે રાજકોટની. જ્યાં એક કારચાલકની માવાની પિચકારી એક યુવતીનાં મોતનું કારણ બની હતી. ચાલુ કારે માવો થૂંકતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવતીનું મોત નિપજ્યું હતું.
રાજકોટના કુવાડવા રોડ ઉપર જુના જકાતનાકા પાસે બ્રહ્માકુમારીના દીદી પોતાની સ્કૂટર પર જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં એક કારચાલકે ચાલુ કારે દરવાજો ખોલીને માવાની પિચકારી હતી. અચાનક કારચાલકે દરવાજો ખોલી દેતાં પાછળ આવતાં બ્રહ્માકુમારીના દીદીએ પણ અચાનક સ્કૂટરને બ્રેક મારી દીધી હતી. આ સમયે પાછળથી આવતી એસટી બસનાં ચાલકે દીદીને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં દીદીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.