- રેપો રેટ 4% અને રિવર્સ રેપો રેટ 3.35% પર યથાવત્ રાખવામા આવ્યા
- RBIએ કહ્યું- કોરોના બાદ દેશ ની આર્થિક હાલાત ધીમે ધીમે સુધરી રહી હોવાના સંકેત આપ્યા
રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ ની 3 દિવસીય બેઠક બાદ આજે એટલે કે 8 ઓક્ટોબરે RBIએ રેપો રેટ 4% અને રિવર્સ રેપો રેટ 3.35% યથાવત્ રાખ્યો છે. આવુ સતત 9મી વખત બન્યુ છે, જ્યારે વ્યાજદરો યથાવત્ રાખવામાં આવ્યા હોય. અગાઉ મે 2020માં રેપો રેટ ઘટાડવામાં આવ્યો હતો. RBI ના શક્તિકાંત દાસે નાણાકીય નીતિ સમિતિ (MPC-Monetary Policy Committee)ની બેઠકમાં લેવાયેલા વ્યાજદરોના નિર્ણયોની જાહેરાત કરી હતી.
રેપો રેટનો આ સ્તર એપ્રિલ 2001 બાદથી સૌથી નીચો છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે તમામ MPS સભ્યો વ્યાજદર યથાવત્ રાખવાની તરફેણમાં છે. આ સિવાય તેમણે કહ્યું હતું કે અર્થતંત્રમાં સુધારાના સ્પષ્ટ સંકેતો જણાઇ રહ્યા છે.
વ્યાજદરો યથાવત રખાયા
RBI ના ગર્વનર શક્તિકાંત દાસની આગેવાનીમાં મળેલી નાણાકીય નીતિ સમિતિ (MPC) દ્વારા પોલિસી દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સતત વ્યાજદદોમાં કોઈ ઘટાડો થયો નથી. રેપો રેટ 4% પર અને રિવર્સ રેપો રેટ 3.35% પર યથાવત રાખવામા છે. આ નિર્ણયથી જનતાની સસ્તી હોમ લોનની આશાઓ વધુ એકવાર પડી ભાંગી પડી છે. ગવર્નર શક્તિકાંત દાસે વધુમા કહ્યુ હતુ કે અનાજના રેકોર્ડ ઉત્પાદન ના પરિણામે, આગામી મહિનાઓમાં ખાદ્ય ફુગાવો ઓછો થવાની શક્યતાઓ છે.
આર્થિક ગતિ ધીમે ધીમે સુધરી રહી હોવાના સંકેત : RBI
ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વૃદ્ધિ માટે ટકાઉ ધોરણે પુનરુત્થાન માટે પોતાનું નરમ વલણ ચાલુ રાખશે. તેમણે કહ્યું કે કોવિડ-19 ની શરૂઆત બાદથી કેન્દ્રીય બેંકે 100 થી વધુ પગલાં લીધા છે. ફુગાવો અપેક્ષા કરતા વધુ અનુકૂળ છે અને આર્થિક પ્રવૃત્તિ ધીમે ધીમે ગતિ પકડી રહી હોવાની જાણકારી આપી હતી. દાસે વધુમાં કહ્યું કે RBI એ 2021-22 માટે જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ 9.5 ટકા જાળવી રાખ્યો છે.
EMIમાં ઘટાડો થવાની આશા તુટી
લોકોને આશા હતી કે તહેવારની મોસમ અને મોંઘવારી ના માર વચ્ચે રિઝર્વ બેન્ક પોતાના રેપો રેટમાં બદલાવ કરશે અને તેમાં થોડો ઘટાડો પણ કરશે, જેથી વધતી મોંઘવારી વચ્ચે લોકો પર EMIનો બોજ મા થોડી રાહત થોડો મળે. પરંતુ નિષ્ણાતોને અપેક્ષા હતી જ કે રેપો રેટ પહેલાથી જ સૌથી નીચા દરે છે, તેમજ બેન્કો પણ સૌથી ઓછા દરે લોન આપી રહી છે ત્યારે આવી પરીસ્થિતિમાં રિઝર્વ બેંક પોતાનો રેપો રેટ યથાવત રાખશે. રિઝર્વ બેંકના રેપો રેટમાં ફેરફાર ન કરવાને કારણે લોકોને EMIમાં ઘટાડો થવાની આશા તૂટી ગઇ છે. રેપો રેટ એ વ્યાજ દર હોય છે જેના પર વ્યાપારી બેંકો આરબીઆઈ પાસેથી રોકડ એકત્ર કરે છે.
RBIની અન્ય મુખ્ય વાતો
- RBI એ ચાલુ નાણાકીય વર્ષ 2021-22માં દેશના વાસ્તવિક જીડીપીમાં 9.5 ટકાની વૃદ્ધિનો અંદાજ રાખ્યો છે.
- આ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં જીડીપીનો વૃદ્ધિ દર 7.9 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 6.8 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 6.1 ટકા જેટલો રહેશે.
- નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ક્વાર્ટરમાં દેશનો વાસ્તવિક જીડીપી 17.1 ટકા રહી શકે છે.
- નાણાકીય વર્ષ 2021-2022 માં સીપીઆઈ ફુગાવો 5.3 ટકા રહેવાની આશા છે. છેલ્લી બેઠકમાં તે 5.7 ટકા રહેવાનો અંદાજ રાખવમા આવ્યો હતો.
- મોંઘવારીનો દર બીજા ક્વાર્ટરમાં 5.1 ટકા રહી ચકે છે, ત્રીજા ક્વાર્ટરમાં 4.5 અને ચોથા ક્વાર્ટરમાં 5.8 ટકા રહી શકે છે.
- નાણાકીય વર્ષ 2022-2023ના પ્રથમ ક્વાર્ટરમાં CPI ફુગાવો 5.2 ટકા રહેવાની આશા છે.
- રેપો રેટ 4% પર સ્થિર અને 3.35% પર રિવર્સ રેપો રેટ યથાવત રહ્યો છે.
- આ સાથે બેંક દરમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લેવામાં કરવામા. જે 4.25 ટકા પર યથાવત છે.